________________
ધર્મનો પ્રાણ છે તેમ આત્માનો પણ પ્રાણ છે, રત્નત્રયીની અભેદ પરિણતિ વડે આત્મા મોક્ષરૂપ થઈ જાય છે, આવું અપાર તેનું સામર્થ્ય
રજમાત્ર પ્રતિબંધ વગર શુદ્ધ સ્વભાવમાં સ્થિર રહેવું તે સ્વભાવદશા છે. તેનું ક્ષણિક દર્શન તે સમ્યગદર્શન છે, તેમાંથી નીપજતું જ્ઞાન તે સમ્યગ્રજ્ઞાન છે અને સ્થિરતા તે સમ્યફ ચારિત્ર છે. તે ધ્યાનરૂપ છે. તે ત્રણેની પૂર્ણતા થવાથી મુક્તદશા પ્રગટે છે. તે આ રત્નત્રયીનું સામર્થ્ય છે.
સમ્યગુદર્શન એ શુદ્ધાત્માની શક્તિનું પ્રકાશરૂપ કિરણ છે. દર્શન દ્વારા તત્ત્વોનું યથાર્થ સ્વરૂપ સમજમાં આવે છે, તે સમ્યજ્ઞાન છે. તે વડે થતી અનુભૂતિ તે સમ્યફ ચારિત્ર છે. સાધકને આવો ક્રમ હોય છે. ત્રણેની એકતારૂપ દશા જેવી છે તે આત્મા મોક્ષસ્વરૂપ છે. દેહ છતાં નિર્વાણ છે. આ રત્નત્રયીનું આવું સામર્થ્ય છે.
સમૂનો ધબ્બો 1
- દર્શનપાહુડ, ગાથા ૨ જિનેશ્વરકથિત આ સૂત્ર દર્શાવે છે કે, ધર્મનું મૂળ સમ્યગદર્શન છે, વીતરાગ ધર્મ પ્રત્યે દિવ્યવિચાર કે આત્મવિચાર વડે તેની નજીક પહોંચાય છે. “ચરમ નયણ કરી મારગ જોવતા રે, ભૂલ્યો સયલસંસાર જેણે નયણે કરી મારગ જોઈએ રે, નાયણ તે દિવ્ય વિચાર,
પંથડો નિહાળું રે બીજા જિન તણો રે.”
- શ્રી આનંદઘનજી કૃત અજિતજિન સ્તવન ચરમનયણ તે અજ્ઞાનરૂપી અંધકાર છે, દિવ્યાયણ તે જ્ઞાનપ્રકાશ છે, પ્રકાશ વડે પરમાત્માનો માર્ગ સિદ્ધ થાય છે, રત્નત્રયીનું આ સામર્થ્ય છે. અર્થાતુ પરમાત્માને યથાર્થપણે ધ્યાવવાથી સાધક પરમાત્મા થઈ જાય છે.
દ્રષ્ટાંત મહાવીરને ધ્યાવવાથી શ્રેણિક મહાવીરસમાં બન્યા. કર્મગતિની વિચિત્રતા માટે શ્રેણિક રાજાની કથાનું રહસ્ય સમજવા જેવું છે. શ્રેણિકના
૭૪