________________
થતા જાય છે. સરળતા, શાંતિ, ક્ષમા, સમતા જેવા આત્મિક ગુણો સમ્યગું રૂપ ધારણ કરે છે. આવો સમકિતી આત્મા શાંત, દાંત અને અબ્રાંત હોય છે, તે વિવેકપૂર્વક દેવગુરુને સમર્પિત થાય છે. પરમાત્મરૂપ થવા તે પરમાત્માને ધ્યાવે છે. તે આત્મામાં શ્રદ્ધા, જ્ઞાન અને ભક્તિની સંવાદિતા હોય છે. તેનું ચિત્ત ઉદાત્ત ગુણોથી રસાયેલું હોય છે. આથી પૂર્વસંચિત કર્મોનો ભાર અતિશય હળવો થઈ જાય છે; પાપપુણ્યરૂપી આસ્રવ દ્વાર બંધ થતાં જાય છે, તે આત્મા સંયમમાર્ગને આરાધી, સંવરરૂપ થઈ, નિર્જરા તત્ત્વને પામે છે અને મોક્ષની નિકટતા અનુભવે છે. જૈનધર્મની આ સાચી આરાધના છે. અર્થાત્ જે જ્ઞાન, દર્શન, ચારિત્રની આવી શુદ્ધ આરાધના કરે છે તે જૈન છે. રત્નત્રયની શુદ્ધિ તે ધ્યાન છે, જે આત્મભાવની સ્થિરતારૂપ છે.
પરમાત્માની અને સદ્ગુરુની અનન્ય ભક્તિ, શ્રદ્ધા અને વિનય, સ્વયંશુદ્ધિ તથા જાગૃતિ-આ બધાં સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિના ઉત્તમ અંગભૂત સાધનો છે. તેનો આરાધક આત્મા, જન્મ જૈન હો કે જે હો તે, અલ્પભવી કે એકભવી થઈ જાય છે. આવું ઉત્તમ સુખ ત્યજી જીવ સંસારના મોહમાં પડે છે તે કેવું આશ્ચર્ય ?
સંસારી જીવને બાહ્ય અપેક્ષાએ સ્ત્રી, પુત્ર, ધન માલ વગેરે નિમિત્તથી બંધનકર્તા છે; વાસ્તવિક રીતે તો તે બધાં સાંયોગિક છે. તે પોતપોતાના કર્મને આધીન છે. પરમાર્થથી તો, જીવને પોતાના અંતરંગ વિભાવજન્ય દોષો જ બંધનું કારણ છે. ભાવથી ભવ અને ભવથી ભાવ એમ એક વર્તુળ ફર્યા કરે છે. સરુની નિશ્રામાં સમર્પણતા સહિત સત્ માર્ગનો પુરુષાર્થ હોય તો એ વર્તુળ સમાપ્તતાને પામે છે. • રત્નત્રયીનું અપાર સામર્થ્યઃ
સમ્યગુદર્શન, જ્ઞાન, ચારિત્રના ત્રિવેણી સંગમમાં ડૂબકી મારીને આત્મા પાવન થાય છે. આ રત્નત્રય જૈનધર્મનો પ્રાણ છે. ખેતરની ખેડેલી જમીનમાં પ્રકાશ, પવન અને પાણી જેમ બીજને વિકસવામાં યોગ્ય સાધનો છે, તેમ આ રત્નત્રયી, સાધક આત્માને પ્રારંભથી અંત સુધી શુદ્ધતાથી ક્રમમાં આગળ વધવાનું સર્વશ્રેષ્ઠ સાધન છે. તે જેમ
૭૩