SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ પદાર્થોનું શ્રદ્ધાન કરવું તે નિયમથી સમ્યગુદર્શન છે. તે સમ્યગ્દર્શન સ્વભાવથી (નિસર્ગ) અથવા અધિગમથી (પરોપદેશથી) ભવ્યજીવોને ઉત્પન્ન હોય છે.” જેન કુળમાં જન્મ થવા માત્રથી કે નવતત્ત્વના નામ મુખપાઠ કરવાથી સમ્યગુદર્શન પ્રાપ્ત થયું તેમ ન માની લેવું. વળી કુળપરંપરાએ સતદેવાદિનો સામાન્ય યોગ મળી જાય તેને જ સમ્યકત્વ માની લેવું તે પણ યોગ્ય નથી. આ કાળે આવા યોગે જૈન કહેવડાવવું સત્યથી વેગળું જણાય છે. ખરેખર તો સમ્યગુદર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધના તે મોક્ષનો અર્થાત્ “જૈન”નો પંથ (માર્ગ) છે. એટલે કે તેમાં જૈનત્વ સમાય છે.” જૈન” એ કોઈ મત કે સંપ્રદાય નથી. રાગદ્વેષને જીતે તે જિન કહેવાય છે. તે જિનની આજ્ઞાએ જે રાગ-દ્વેષ રહિત થવાનો પુરુષાર્થ કરે તે જૈન કહેવાય છે. તેમાં નાતિ, જાતિ કે પાંતિના ભેદ નથી. સાધકની વર્તમાન દશા અશુદ્ધ છે. તેમાં ગુણધર્મનાં બીજ વાવીને તેને વિકસિત કરવાની છે, બીજ વાવવા જમીનને જેમ કેળવવી પડે છે અને સ્વચ્છ કરવી પડે છે, તેમ અશુદ્ધ મનની ભૂમિને આત્મવિચાર વડે સાફ કરી કેળવવી પડે છે. એમ થાય ત્યાર પછી દર્શન શું, ધર્મ શું કે વૈરાગ્ય શું છે તે અભ્યાસ વડે સમજાય છે અને ઉપશમ તથા વૈરાગ્ય વડે અભ્યાસ દૃઢ થઈ પરિણામ પામે છે. જેને આવો લાભ થાય છે તે સમ્યગુદર્શનનો અધિકારી બને છે. - સ્થૂલ મનના શુભાશુભભાવો વડે આત્મપરિણામો તે રૂપે પરિણમે છે, પણ ખરી રીતે તે આત્માનું અસલ સ્વરૂપ નથી. શુભાશુભભાવોનું આત્યંતિકપણે ક્ષીણ થવું અને નિરાવરણ જ્ઞાનનું ઉત્પન્ન થવું તે આત્માનું અસલ સ્વરૂપ છે. જેમ સફેદ સ્ફટિકની પાછળ જે રંગનો કાગળ મૂકીએ તેવા રંગનું સ્ફટિક દેખાય છે, પણ તેથી એની મૂળ સફેદાઈ નષ્ટ થતી નથી, તેમ આવરણ દૂર થતાં અનાવરણ આત્મા અનુભવમાં આવે છે, તે અનુભવાતા અંશો પ્રકટપણે સમ્યગુજ્ઞાનરૂપે પરિણમે છે; તે જ્ઞાનમય આત્મા સમકિતી કહેવાય છે. એક વાર સમક્તિની સ્પર્શના થઈ કે આત્માના ગુણો સમ્યગુ ?
SR No.005926
Book TitleDhyan Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDeepakbhai & Dharmiben Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy