________________
આવ્યા. સંતે તે સંન્યાસીને પૂછયું કે, “તમે કેટલાં વર્ષથી આ મંદિરમાં છો ?” સંન્યાસી-: “દસ વર્ષથી.” “વારુ,” સંન્યાસી ટેકરી પર પાછા ગયા. - સંતે ફરી તાળી પાડી નીચે બોલાવ્યા અને પૂછયું કે “તમે કેટલાં વર્ષથી સંન્યાસ લીધો છે!” “બાર વર્ષથી” “વા.” સંન્યાસી પાછા ગયા.
સંતે ફરી તાળી પાડી. સંન્યાસી નીચે આવ્યા, અને સંતે પૂછયું કે તમે ઉપર કોણ કોણ છો? “એક જ.” “વાર.”
આમ સંતે સંન્યાસીને ત્રણ વાર નીચે બોલાવ્યા. ત્રણે વાર સંન્યાસીએ સમતાભાવે, કશાય વિકલ્પ વગર ગુરુવિનય સહિત ટૂંકા જવાબ આપ્યા.
પેલા ગૃહસ્થ તો અકળાઈ ઊઠયા કે, “ત્રણ પ્રશ્ન એક જ વાર પૂછવાને બદલે શા માટે સંન્યાસીને ત્રણ વાર બોલાવ્યા?”
સંતે કહ્યું કે : “એમાં જ તારા પ્રશ્રનો પ્રત્યુત્તર છે. સંન્યાસીએ સાધના દ્વારા સમતા અને શાંતિ કેળવી છે. મનના આવેગોને શમાવ્યા છે, અને તૃષ્ણા રહિત થઈ એ જીવે છે. તેમનું જીવન એ જ જગતને માટે મોટું પ્રદાન છે. આટલાં વર્ષોનો નિવૃત્તિનો ગાળો સાર્થક છે. તેણે સમાજની સેવા લીધી છે, તે સમાજને માટે બોજરૂપ નથી. સાચો સંત જગત પાસેથી લે છે. તેનાથી અનેકગણું પ્રદાન કરે છે. સંસારથી તૃપ્ત થયેલા જીવો સંતો પાસેથી શાંતિ મેળવે છે, મનુષ્યત્વના પાઠો શીખે છે અને જીવનને પવિત્ર કરે છે.”
માનવી, ગુણોથી સાધુ કહેવાય છે, અને દુર્ગુણોથી અસાધુ કહેવાય છે. સમતાથી વ્યક્તિ સાધક કે સાધુ બની શકે છે. બ્રહ્મવ્રતથી બ્રાહ્મણ, જ્ઞાનથી જ્ઞાની અને સમ્યક તપથી તપસ્વી બને છે. કુળ પરંપરાની છાપ મારીએ તેથી વ્યક્તિ સાધુતા પામતી નથી, સાચા સાધકસાધુ જ્ઞાન-ધ્યાનમાં લીન હોય છે અને પવિત્ર ચારિત્ર પાળે છે તે મોક્ષ પ્રત્યે ગમન કરે છે.
સાચું જૈનત્વ શું છે ? શ્રી શુભચંદ્રાચાર્યવિરચિત જ્ઞાનાર્ણવમાં ઉલ્લેખ છે કે “જીવાદિ
૭૧