________________
પ્રવેશ આપે જ નહિ, તેથી પ્રારંભ પહેલા ધોરણથી કરે છે, બુદ્ધિપ્રતિભા સારી હોય તો તે અલ્પ પ્રયાસે આગળ વધે ખરો, પરંતુ અભ્યાસ કરવામાં જે પંદર-વીસ વર્ષનો ગાળો વીત્યો તે નિરર્થક નથી ગયો; પરંતુ તેટલાં વર્ષો આગળ વધવા માટે જરૂરી હતાં. તે નિરર્થક થયાં
ક્યારે ગણાય કે જો વિદ્યાર્થી તે વિષયમાં નિષ્ણાત ન થાય અને વચમાં રખડીને સમય વેડફી નાખે.
તે પ્રકારે મનુષ્યાત્મા અનાદિકાળનું અજ્ઞાન દૂર કરવા જ્ઞાનાભ્યાસ કરવા અલ્પાધિક સમય માટે નિવૃત્તિ લે, કે અન્ય સાધનોને ઉપાસે તો તે સાર્થક છે. આત્મલક્ષમાં આગળ વધવું તેનું ત્યાં મૂલ્ય છે. મનુષ્ય ક્રમે ક્રમે સાધન વડે માનવ બને, મુમુક્ષુ બને, અને અંતે પૂર્ણતાને પામે તે સાધનાનો ગાળો સાધક જીવનનું આવશ્યક અંગ છે. તે પોતાની ભૂમિકા અનુસાર એકાંતમાં કે સમૂહમાં જ્યાં પણ સાધના કરે ત્યાં તેનું જીવન પરમાર્થ માર્ગમાં જ હોય છે. તુચ્છ, ક્ષુદ્ર, ક્ષણભંગુર પદાર્થોના આકર્ષણથી તથા સ્વાર્થ અને મોહાંધતા જેવાં દૂષણોથી ઉપર ઊઠવા માટે જ માનવજન્મ છે. જે ભૂમિમાં મહાત્માઓ પૂર્ણતા પ્રકટ કરી ગયા તે ભૂમિને આપણે ધન્ય ગણીએ છીએ. તેવા સંતો પાસે આક્રાંત અને સંતપ્ત જીવો સુખ-શાંતિ મેળવે છે. નિવૃત્તિમય દિવ્ય જીવન વિતાવતા એવા સંતોનો માનવ ઉપર મહાન ઉપકાર છે. આવા નિવૃત્તિમય દિવ્યજીવન દ્વારા તેઓ પવિત્રતા અને સમતા જેવા ગુણો પ્રાપ્ત કરવા જગતના જીવોને કલ્યાણનો માર્ગ ચીંધે છે. કેવી રીતે ?
સાધુજનોની ગુપ્ત શિક્ષા દૃષ્ટાંત ઃ કોઈ ગૃહસ્થ એક સંતને પ્રશ્ન પૂછયો કે, ગૃહસ્થ કુટુંબ-પરિવારને સંભાળે છે; વળી સમાજને ઉપયોગી સત્કાર્ય કરે છે, ત્યારે એક સાધુ નિવૃત્તિ લઈ અંગત સાધના કરે છે, સમાજ તેમને પોષે છે, તેમાં શ્રેષ્ઠ કોણ?
એને પ્રત્યુત્તર આપવાને બદલે એ સંત તે ગૃહસ્થને પોતાની સાથે લઈ ગામને છેડે એક ટેકરી પર મંદિર હતું ત્યાં ગયા. ટેકરીની નીચે ઊભા રહી તેમણે તાળી પાડી. તરત જ એક સંન્યાસી નીચે