________________
અને તે જ દુઃખનું મૂળ છે. કાણાવાળી ચારણીમાં પાણી રહી શકતું નથી, એને કૂવામાં ડુબાડીને પાણી કાઢો તોપણ એ એમાં રહેવું શકય નથી. આવી જ સ્થિતિ તૃષ્ણાવાળા માનવના મનની છે. મન કાણાવાળા પાત્ર જેવું છે. ગમે તેટલાં સુખનાં સાધનો મળે, તોપણ જીવને પંચેન્દ્રિયના વિષયો ઓછા જ લાગે છે. આવા ક્ષુબ્ધ મનની બાળચેષ્ટાને ત્યજીને મહાત્માઓએ આત્મજ્ઞાન વડે તેને તૃપ્ત કર્યું છે. તે સમ્યગુજ્ઞાનવંત આત્માઓને પોતાના સહજસુખની સમાધિ વર્તે છે પછી દોડવાનું, વાચવાનું, મેળવવાનું સમાપ્ત થઈ જાય છે. તેઓને પુણ્યયોગે જે કંઈ સુખસાધન મળે છે તેને તેઓ જાણે છે ખરા, પણ માણતા નથી. વસ્તુના સદ્ધપયોગ વડે આત્મજાગૃતિપૂર્વક તૃપ્તિ અનુભવે છે.
જૈનદર્શનમાં શ્રદ્ધાનું સ્વરૂપ નિરાળું જ દર્શાવ્યું છે. જો તે યથાર્થ રીતે સમજાય તો માનવ, માનવ મટી દેવ બની જાય એટલે કે દેવત્વના ગુણોને પામે અર્થાત્ સમ્યગુદર્શનને પામી જાય છે.
વાસ્તવિક રીતે તો છે જ તત્ત્વ સમજી લે તો બીજાં તત્ત્વો એમાં સમાહિત થઈ જાય છે. આત્મા અને અનાત્માનો ભેદ સમજાયા પછી અનાત્માથી મુક્ત થવાની વૃત્તિ તે તત્ત્વશ્રદ્ધા છે, કોઈ મનુષ્ય કહે કે હું આત્માને જાણું છું, પણ તેના નિત્યત્વ આદિ કે જ્ઞાન દર્શનાદિ ગુણો વિષે જાણતો નથી, તો તેણે આત્માને જાણ્યો નથી. અને તેથી તે અનાત્માને જાણી શકતો નથી અને તેથી અનાત્મા પ્રત્યેના આત્મભાવને ત્યજી શકતો નથી કે દેહભાવને ત્યજી શકતો નથી. માટે તત્ત્વનો યથાર્થ અભ્યાસ ગુરુગમ કરવો. એ સાધના જીવનનું અગત્યનું અંગ છે, તે માટે નિવૃત્તિ અને વૈરાગ્યભાવની અગ્રિમતા હોવી જરૂરી છે.
- સાધનાનો સમય મહત્ત્વનો છે. કોઈ વકીલ કે ડોકટર પિતા પોતાના બાળકને જ્યારે પહેલા ધોરણમાં બેસાડે છે, ત્યારે એના મનમાં તો તે બાળક અમુક વર્ષે વકીલ કે ડોકટર થાય તેવી આશા હોય છે, છતાં પ્રારંભ પહેલા ધોરણથી કરે છે. જો તે એમ વિચારે કે પચીસ વર્ષે તેને સીધો જ વકીલ કે ડોકટર થાય તેવી કોલેજમાં મૂકીશ તો કોઈ પણ કોલેજ તેને
૬૯