________________
ખુલાસાથી તેને સંતોષ થતો નહિ. યોગાનુયોગ શ્રી રામકૃષ્ણ પરમહંસનો તેને મેળાપ થયો, ત્યારે પણ નરેન્દ્રનો એ જ પ્રશ્ન : ગુરુજી ! આપે ભગવાનને જોયા છે?
ગુરુજીનો પ્રત્યુત્તર હતોઃ “હું જેમ તને જોઉં છું, તેમ ભગવાનને જોઉં છું” નરેન્દ્રનો તર્ક શમી ગયો. તે ગુરુચરણે નમી રહ્યો. અન્યોન્ય દષ્ટિ મળી, નરેન્દ્રને ગુરુજીમાં પ્રભુનાં દર્શન થયાં. ગુરુજીએ પાત્રતા જાણી લીધી અને નરેન્દ્ર નામધારીનું વિસર્જન થયું. તેને સ્થાને “સ્વામી વિવેકાનંદ' પ્રગટ થયા. પૂર્વે સાધેલા ક્રમ આમ નિમિત્ત મળતાં પ્રગટ થાય છે અને આત્મશ્રદ્ધા સહેજે સ્થાપિત થઈ જાય છે.
જે બુદ્ધિમાન મનુષ્યો કેવળ તર્ક દ્વારા ધર્મ શોધે છે તે પોતે બુદ્ધિમાન હોવા છતાં અંતે મૂર્ખ ઠરે છે; કારણ કે તેઓ ગાડીની પાછળ ઘોડાને જોડવા જેવી ભૂલ કરી બેસે છે, અર્થાત્ તર્કની પાછળ ધર્મને જોડે છે. શંકાનું સમાધાન થઈ શકે છે, એટલા માટે જ્ઞાનીજનોએ ધર્મને સમજવાનાં અનેક સાધનો યોજયાં છે. વાંચના (શાસ્ત્રાભ્યાસ), પૃછના (શંકાસમાધાન), પરાવર્તના (પુનરાવર્તન), અનુપ્રેક્ષા (ચિંતન), ધર્મકથા (અન્યોન્ય વિચારણા) કે ઉપદેશાદિ સઘન અને વ્યવસ્થિત અભ્યાસ કરવાની આ વિવિધ પ્રક્રિયાઓ છે, જે વડે બુદ્ધિ સ્પષ્ટ, શુદ્ધ અને તીણ થાય છે અને સાધક સત્યાસત્યનો વિવેક પામે છે. કેવળ તર્ક વડે વ્યવહાર પણ ચાલતો નથી, તો પછી તેનાથી ધર્મની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે?
શ્રદ્ધા દેખતી હો કે આંધળી હો, પણ જો તે યોગ્ય સ્થાને હશે તો યથાસમયે તે સાચું સ્વરૂપ જાણી લેશે. દરેક દર્શને શ્રદ્ધાનું સ્વરૂપ સ્વીકાર્યું છે. પણ આધુનિક યુગનો માનવી એમ સમજે છે કે સરિતાસ્નાન એ અંધશ્રદ્ધા છે, અને મોજમજા માટે સાગરસ્નાન એ જીવનમાં માણવા જેવું છે. સરિતા-સ્નાનવાળાની શ્રદ્ધા આંધળી હશે તોય પ્રભુભક્તિના ભાવે તેનું હૃદય કયારેક આÁ થવા સંભવ છે; પણ સાગરસ્નાનવાળો તરતાં આવડે તો ભલે સાગરમાં ન ડૂબે, પણ દેહસુખમાં રાચીને તે ભવસાગરમાં તો ડૂબશે.
જ્ઞાની પુરુષોનું કથન છે કે, તૃષ્ણા આકાશની જેમ અનંત છે
૬૮