________________
અને આત્મભાવરૂપી ધન લૂંટાઈ જાય છે.
સમ્યક્-પ્રજ્ઞાવંત આત્મા આંતર અને બાહ્ય ભાવની સમતુલા જાળવે છે અને નિર્બોજ જીવન જીવે છે. ભૂતકાળની સ્મૃતિ તેને સતાવતી નથી. ભવિષ્યની કલ્પનાઓ ઊઠે તેવો પ્રાયે આધાર રહેતો નથી. પૂર્વપ્રારબ્ધને સમભાવે પૂર્ણ કરી તે આત્મા કર્મભારથી હળવો બની ક્રમે કરીને સત્ પુરુષાર્થ વડે આગળ વધતો જાય છે, અંતઃસ્ફુરણા વડે ઉપયોગપૂર્વક જીવનની પ્રક્રિયાઓને નિભાવે છે. તેમાં પ્રાયે પ્રતિબંધઅનુબંધ થતો નથી. અનુક્રમે તે વીતરાગ થઈ, જ્ઞાતા દ્રષ્ટાની શુદ્ધાવસ્થાને પ્રગટ કરે છે. અને શુદ્ધ ચારિત્રને આરાધી સિદ્ધ પદને પામે છે.
દેહધારી જ્ઞાનીનું જીવન અત્યંત નિર્દોષ અને પવિત્ર હોય છે, તેમનું સાન્નિધ્ય જ જીવને પાવન કરે છે. તીવ્ર જિજ્ઞાસા અને સદ્ધર્મની નિષ્ઠા જ્ઞાની સદ્ગુરુનો મેળાપ કરાવી દે છે. તેમના પ્રત્યેની વિનયભક્તિને કારણે સાધક અલ્પ પરિશ્રમે આત્મોપલબ્ધિ કરે છે. સાધક, તત્પરતા અને વિનય વડે જ્ઞાનીની સર્વ ક્રિયામાંથી બોધ ગ્રહણ કરે છે. જ્ઞાની-મહાત્માઓ જ્યાં જયાં વિચરે છે તે ભૂમિ પણ પવિત્ર થાય છે. તે પવિત્ર સ્થળો પણ સાધનામાં જીવને સહાયક થાય છે. આ માર્ગમાં શ્રદ્ધા એ મહત્ત્વનું અંગ છે.
सद्धा परम दुल्लहा
જગતના વ્યવહારમાં મનુષ્ય વિશ્વાસનું સાહસ ખેડી લે છે. વિશ્વાસે એ લાખોનો વ્યાપાર ખેડી લે છે. કેટલાયે સ્વજનોને મૃત્યુને વરેલા જોવા છતાં પોતે એવા વિશ્વાસથી જીવે છે કે જાણે ‘હું મરવાનો નથી.' દેહ-દર્દના સમયે તબીબની આપેલી અપરિચિત ઔષધિમાં વિશ્વાસ રાખી તે તેનું સેવન કરે છે. એ વિશ્વાસના ગુણને શ્રદ્ધામાં પરિવર્તિત કરી આત્મા અને પરમાત્માના અસ્તિત્વમાં અખૂટ અને અતૂટ શ્રદ્ધા થઈ જાય તો આત્મા સમ્યગ્દર્શનની નજીક પહોંચી જાય છે અને યથાર્થ શ્રદ્ધા વડે તે પદને પ્રાપ્ત કરી લે છે. આવી શ્રદ્ધાનું એક દૃષ્ટાંત લઈએ.
નરેન્દ્ર (ભાવિ વિવેકાનંદ) જયારે કોઈ પણ સંતને મળતો ત્યારે તેનો એક જ પ્રશ્ન રહેતો કે, તમે ભગવાનને જોયા છે ? કાલ્પનિક
૬૭