________________
બંધ (કર્મબંધન) સંસારમાં જીવમાત્રને દુઃખનું કારણ કર્મબંધ છે. તે મિથ્યાત્વ (અજ્ઞાન), અસંયમ, પ્રમાદ, કષાય અને યોગ વડે થાય છે. તેનું ભયંકર સ્વરૂપ જાણી મુક્ત થવા પ્રયત્ન કરવો તે બંધ તત્ત્વની સમજ છે. આ તત્ત્વ ત્યાજય છે.
કર્મબંધનનો સર્વથા નાશ તે મોક્ષ છે. અર્થાત્ રાગાદિભાવોનો આત્યંતિકપણે નાશ તે મોક્ષ છે. શુદ્ધ સ્વરૂપનું પ્રગટ થવું.
આ તત્ત્વોના વધુ અભ્યાસ માટે સિદ્ધાંત શાસ્ત્રોનું અનુભવી પાસે અનુશીલન કરવું. તત્ત્વોનો અભ્યાસ સાધકને માટે જરૂરી છે, આવા અભ્યાસ વડે ઉપયોગની સ્થિરતા અને સૂક્ષ્મતા વધે છે, આ તત્ત્વોને હેય (ત્યાજય) ઉપાદેય (આદરવાયોગ્ય) શેય (જાણવા) રૂપે જાણવા અને માનવાં તે તત્ત્વનું શ્રદ્ધાન છે.
તત્ત્વની શ્રદ્ધા, બોધ, અને વિચાર આચારની સમીપતા આણે છે. મનુષ્યને સુધાનું ભાન થાય છે ત્યારે તે, વિચારને કાલ પર મુલત્વી રાખતો નથી. કોઈ કહે, મને ધર્મબોધ થયો છે પણ હવે આચરણ થતું નથી કે થાય ત્યારે ખરું, તો સમજવું કે તે યથાર્થ બોધ પામ્યો નથી, એવા નિઃસત્ત્વ બોધ વડે કે કેવળ શબ્દબોધ વડે જાણપણું સાર્થક થતું નથી. સાચી સમજ અને સત્ત્વ સહિતનો બોધ એ પરિવર્તનની ક્રિયા છે જે સમયે સમજ આવી તે સમયે અલ્પાધિક પણ આચરણ કરે, દોષો પાતળા પડે, ત્યારે અંતરાયો ટળી જાય છે. તેમાં તર્ક કરવા એ તત્ત્વશ્રદ્ધા નથી. તર્ક કે બુદ્ધિની ધાર આચરણમાં અંતરાય કરે છે. નિર્મળ બુદ્ધિ અને યથાર્થ શ્રદ્ધારૂપી બે પૈડા પર જીવનરથ ચાલે છે, ત્યારે આત્માર્થ ફળવાન થાય છે.
ભૂતકાળમાં જીવે જે કંઈ સારું-બૂરું સર્જન કર્યું છે, તેનો પરિપાક વર્તમાન છે, તેમાંય વર્તમાનની પળ માનવના હાથમાં છે. ભૂતકાળ સરી ગયો છે તેનું સ્મરણ એ વિકલ્પની જાળ છે; એક ભ્રમ છે. અને ભાવિ કે જેનું જીવને જ્ઞાન નથી, તેમાં સુખાદિની આશા કરવી તે મધલાળ છે. કેવળ વર્તમાનની પળ-પરિણામ પર્યાય કે ઉપયોગ જ
સ્વાધીન છે. પરંતુ દેહાર્થનું ભાન, તત્ત્વનું અજ્ઞાન અને વિષયોનું રસપાન કે પ્રમાદ જેવા અવરોધોથી વર્તમાનની પળ વહી જાય છે,