SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ અજીવ (શરીરાદિ જડ પદાર્થો) શરીરાદિ તમામ પુદ્ગલો જડ છે તેમ જાણવું અને માનવું. દેહમાં અને દેહાધીન પદાર્થોમાં જે આત્મભાવ છે તે તો અજ્ઞાનજન્ય હોવાથી તેનો ત્યાગ કરવો. પુણ્ય (શુભ યોગ) શુભારુવ શુભ સંયોગોને, સુખના અનુભવને પુણ્ય કહેવાય છે. તે પૂર્વે કરેલા શુભભાવ અને સત્કાર્યથી પ્રાપ્ત થાય છે. પ્રાપ્ત પુણ્યયોગે સત્સાધન પ્રત્યે રુચિ ન કરે, અને જો જીવ ભોગ-વિલાસમાં પડી જાય તો પુણ્યતત્ત્વ આત્મશ્રેયમાં અંતરાયરૂપ થાય. પુષ્યમાં બંધાય નહિ પણ તેથી છૂટે, તે જીવની યથાર્થ સમજ છે. પુણ્ય છતાં તે આસ્રવ છે. પાપ (અશુભયોગ) પાપાસવ પાપના-પ્રતિકૂળ સંયોગોના ઉદય સમયે તે પોતાના કર્મનો જ દોષ છે તેમ સ્વીકારે નહિ, અને દુઃખી થાય તો તે અજ્ઞાન છે. પાપના ઉદયને પોતાના કર્મનો દોષ જાણવો તે આ તત્ત્વની યથાર્થ સમજ છે. આસવ (શુભાશુભ ભાવો) પુણ્ય-પાપરૂપ શુભાશુભ આસવ છે, આસવ એટલે શુભાશુભ કર્મોનું આવવું, જેમ બાગનો દરવાજો ખુલ્લો હોય અને ત્યાંથી ઢોર પેસી જાય છે, તેમ શુભાશુભભાવ થતાં જ્ઞાનાવરણીય આદિ કર્મો આત્માના સંયોગમાં આવે છે. આસવ ત્યાજય છે. સંવર (આસવોનું રોકવું). પુણ્યપાપરૂપી આસવનાં કારણોને યથાર્થ સંયમાદિ વડે રાગાદિભાવોને રોકવા તે સંવર છે, આ તત્ત્વ ઉપાદેય છે. - નિર્જરા (કર્મોનું અંશે ખરી પડવું) સંવરભાવથી નવાં કર્મો રોકાય છે, પણ પૂર્વ સંચિત કર્મોનો તપાદિ દ્વારા કંઈક અંશે નાશ કરવો તે નિર્જરા છે. જે કર્મ પરિપકવ થઈ નિર્જરે છે, તે અકામ-ઓઘ નિર્જરા છે, અને જ્ઞાનીની નિર્જરા સકામપ્રયોજનભૂત હોવાથી તેમને પ્રાયે નવો કર્મબંધ થતો નથી. જ્ઞાનીને અસંખ્યાતગુણી નિર્જરા હોય છે. આ તત્ત્વ ઉપાદેય છે. ૬૫
SR No.005926
Book TitleDhyan Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDeepakbhai & Dharmiben Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy