________________
બદલાય અથવા તે વધતાં જાય તેમ તેમ તૃષ્ણા વધતી જાય છે, સાધક સાધન બદલે છે પણ એના બદલામાં સસાધન ગ્રહણ કરે છે. તે સંસારનાં સાધનોનું, પલટાતાં પરિબળોનું યથાર્થ સ્વરૂપ જાણતો હોવાથી તેનું તૃષ્ણારૂપી ઝેર વધતું નથી. વળી કોઈ દોષને કારણે ઝેર પ્રવેશ્ય હોય તો તેનો ઉપાય યોજી તેનું વમન કરે છે. અર્થાત્ સર્વાશે રાગાદિના નાશનો ઉપાય સમ્યગુજ્ઞાન છે. જે સમ્યગુદર્શન સહિત હોય છે. જેહને પિપાસા હો અમૃત પાનની
મિ ભાજે વિષપાન ? - શ્રી આનંદઘનજીકૃત અભિનંદન જિનસ્તવન. આત્માર્થી સાધકની સાધનાનું સૂત્ર છે :તત્ત્વાર્થ શ્રદ્ધાનાં સગર્શન”
- તત્ત્વાર્થસૂત્ર ૧/ર. જૈનદર્શન-સિદ્ધાંત અન્વયે નવ કે સાત તત્ત્વોમાં સૃષ્ટિની સમગ્ર રચના સમાઈ જાય છે. તેમાં મુખ્ય તત્ત્વ જીવ અને અજીવ છે, બીજા તત્ત્વો તો તેનો વિસ્તાર છે. સર્વજ્ઞપ્રરૂપિત આ તત્ત્વોના સ્વરૂપને યથાર્થપણે જાણવું અને માનવું તે સમ્યગુ એટલે કે સાચી શ્રદ્ધા છે. એક પણ તત્ત્વ વતું-ઓછું ગણે, એકને માને અને અન્યને છોડે, તો તે તત્ત્વને જાણનાર પંડિત કે વિદ્વાન હોઈ શકે પણ મોક્ષપંથી થઈ ન શકે. નવ તત્ત્વથી યથાર્થ સમજ અને શ્રદ્ધા વડે જીવને સ્વપરનું ભેદજ્ઞાન થાય છે, અને તે સમ્યગુદર્શન છે. • નવ તત્વની સંક્ષિપ્ત સમજ :
નવ તત્ત્વઃ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ.
(પુણ્ય-પાપને આસવમાં સમાવતાં સાત તત્ત્વ મનાય છે.) આ તત્ત્વને નીચે પ્રમાણે જાણવા અને માનવામાં આવે છે
જીવ (ચેતનતત્ત્વ) જીવ ચેતન તત્ત્વ છે, શાશ્વત છે. ઉપયોગ લક્ષણ યુક્ત છે. જીવના શુદ્ધ સ્વરૂપને અનેકાંતદષ્ટિ દ્વારા જાણવો, અને તેમાં શ્રદ્ધા
કિરવી.