________________
આશ્રય કરી આત્મશ્રેય સાધવું તે માનવદેહની સાચી સફળતા છે. તેના સંસ્કાર આ જન્મમાં જ દેઢ થવા જોઈએ, એમ થાય તો જીવનનું સાચું પ્રભાત ઊગે છે.
અમુક સ્થળે જતાં યાત્રીને અંધકારમાં જેટલા અંતરે માર્ગ દેખાય તે પ્રમાણે આગળ ચાલે છે. વળી આગળનો માર્ગ દેખાય અને આગળ ચાલે છે, તેમ સાધનામાર્ગમાં સાધકે સંસ્કારની દઢતા પ્રમાણે સમજ અને સુપ્રતીતિ આવતી જાય તેમ તેમ આગળ કદમ ઉઠાવતાં જવું. વચમાં કોઈ શિથિલતા કે મંદતા આવે ત્યારે વળી ગુરુનિશ્રાનો કે સંતસમાગમનો આધાર લઈ આગળ ચાલવું. સમ્યફ દશાવાન આત્મા પળને-વહી જતા સમયને જાણે છે અને સસાધનમાં પ્રવૃત્ત રહી દોષોથી-કર્મથી બચે છે. માનવદેહ મળવા છતાં જ્ઞાની અને અજ્ઞાની વચ્ચે આટલી મોટી ખાઈ છે. એક પાસે તત્ત્વની શ્રદ્ધા છે, બીજા પાસે ભાગી છૂટવાનો તર્ક છે. • ભવ્યાત્માઓ બાળચેષ્ટા ત્યજી દે છે :
મનુષ્યનું બાળપણ ઢીંગલા-ઢીંગલીની રમતમાં, કિશોરવય ગિલ્લીદંડાની રમતમાં, કુમારવય ક્રિકેટ જેવી રમતોમાં, યુવાનવય ભોગ-વિલાસ, વ્યાપાર આદિની રમતમાં, અને પ્રૌઢવય પ્રૌત્રાદિ પરિવારમાં વીત્યાં હોય, કયારેય ધર્મનું શરણ લીધું જ ન હોય તો વૃદ્ધાવસ્થામાં શું થાય? કેદીને સજા પૂરી થાય અને બહાર રહેવા કરતાં કદાચ તેને કેદમાં જ ગમી ગયું હોય તોપણ મુદત પૂરી થયે તેને બહાર નીકળવું પડે તેમ માનવને આ જિંદગીની-દેહમાં રહેવાનીમુદત પૂરી થયે નીકળવું પડે છે. તે પછી દેહને અડીને સૌ અભડાય અંતિમક્રિયામાં વિલંબ થાય તો સૌ વિચારે કે હજી કેટલી વાર! અને જો અંધારામાં કે સ્વપમાં તેની આકૃતિ દેખાય તો તેને ભૂત કે અપશુકન સમજીને માણસ, પોતાનો સ્વજન હોવા છતાં પણ, ભડકી જાય છે. સંસારની પદ્ધતિ આવી છે, તેથી ભવ્યાત્માઓ બાળચેષ્ટારૂપ અજ્ઞાનને ત્યજી જ્ઞાનમાર્ગને આરાધે છે.
સંસારીને વ્યવહાર જીવનમાં વય બદલાતાં જેમ જેમ સાધનો