________________
શુદ્ધ જીવનનો સ્વામી બને છે.
- સમકિતી આત્માને જે નિજ સુખ વર્તે છે, તે કોઈ ચક્રવર્તીને પણ પ્રાપ્ત થતું નથી. જગતના મૂલ્યવાન ગણાતા બાહ્યપદાર્થો વડે તે સુખ સંભવિત નથી. જગતનાં બહુમૂલ્ય રત્નો કે સુખનાં સાધનો વડે પ્રાપ્ત સુખ તે અનિત્ય છે, તેની પાછળ દુઃખ ડોકાતું રહે છે : જેમ કે ધનસંપત્તિ વધતાં તે લૂંટાવાની ચિંતા, સુંદર સ્ત્રી મળે તો રક્ષણની ચિંતા, યૌવનમાં વૃદ્ધત્વ આવશે તેની ચિંતા, માન-કીર્તિ મળે તે ઝાંખાં પડવાની ચિંતા, ઈત્યાદિ. આમ સંસારી જીવ સદા ભય અને ચિંતારૂપ અગ્નિથી તપ્ત રહે છે. સમકિતી આત્મા આવા ભય ઈત્યાદિથી મુક્ત હોય છે. તે પ્રારબ્ધયોગે જે મળે તેમાં પણ મમત્વનો ભાવ ન હોવાથી સદા સંતુષ્ટ રહે છે, તેથી નિરપેક્ષ સુખને અનુભવે છે.
સમ્યકત્વ એટલે યથાર્થતા અને મિથ્યાત્વ એટલે વિપરીતતા. પ્રથમ ભાવ જીવનનું સત્ય અને સત્ત્વ છે, તો દ્વિતીય ભાવ જીવનની બહિર્મુખતા અને વિપર્યાસપણું છે. ગુરુગમે નિર્મળ બુદ્ધિ, શ્રદ્ધા અને અનુભવની પ્રતીતિ તે સમ્યકત્વ છે. સમ્યગુદૃષ્ટિવંત આત્મા સ્વ-પરના ભેદનો અનુભવ કરે છે, અને સત્-ચિત-આનંદરૂપ પોતાના સ્વરૂપના ભાનમાં વર્તે છે. આવા પ્રબુદ્ધ આત્માનાં વ્રત, તપ, જપરૂપ સર્વ ભાવો જ્ઞાનયુક્ત હોવાથી ઘણાં કર્મોનો નાશ કરે છે. સમય, સ્થાન, બાહ્ય સંયોગો વગેરે તે આત્માને અંતરાય કરતાં નથી. કવચિત્ વિષમ પરિસ્થિતિ આવે તો પણ તેમાં વ્યાકુળતા થતી નથી.
સમ્યગુદૃષ્ટિ આત્મા સમ્યગુજ્ઞાનનો અધિકારી બને છે, અને તે આત્મા સમ્મચારિત્ર પામે છે, અર્થાત્ મુનિદશા પ્રગટે છે અને ક્રમે કિરીને મુક્ત થાય છે.
સંસારમાં કોઈ મનુષ્યને ધનની પ્રાપ્તિ કરવી હોય તે માટે તે પ્રયત્નશીલ બને છે, અને તે તે પ્રકારનાં સાધનો યોજે છે; વળી સમય અને શક્તિને પણ કામે લગાડે છે અને ધનની પ્રાપ્તિના ધ્યાનમાં નિમગ્ન રહે છે; તેમ આત્મધન પામવા, સમ્યદર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયી પામવા સર્ભાગી જીવે તે માટે પુરુષાર્થ કરવો જોઈએ. તેને માટે એક કે વધુ જન્મો થાય તોય તે સાચા માર્ગે જ હશે. માટે સાધનનો