________________
અમૂઢદૃષ્ટિ અંગ : (સ્વધર્મશ્રદ્ધા)
મન, વચન અને કાયાથી અજ્ઞાનીની પ્રશંસા કરે નહિ, તેમનાથી પરાભવ પામે નહિ, તે સમ્યગ્દષ્ટ આત્માનો અમૂઢદૃષ્ટિ ગુણ છે. પદાર્થના બોધમાં વિચક્ષણ હોય છે.
ઉપગ્રહન અંગ : (અન્યના દોષોને ઢાંકવા) સમ્યગ્દષ્ટ આત્મા કોઈના દોષોને પ્રગટ કરે નહિ, બીજાના દોષ જુએ નહિ અને કદાચ જાણે તો પણ તે પૂર્વના કર્મનો વિપાક છે એમ માને અને તેની નિંદા ન કરે કે પ્રગટ ન કરે.
સ્થિતિકરણ અંગ : (માર્ગમાં સ્થિર કરવાનો ભાવ) સમ્યગ્દષ્ટિ આત્મા કારણવશાત્ કોઈ ધર્મી જીવને માર્ગથી ચલિત થતો દેખીને તેને માર્ગમાં લાવવા પ્રયત્ન કરે તે સ્થિતિકરણ ગુણ છે. વાત્સલ્ય અંગ : (નિર્મળ પ્રેમ)
રત્નત્રયના ધારકો પ્રત્યે આદર-સત્કારપૂર્વક વર્તવું અને સ્વાભાવિક પ્રીતિ રાખવી તે પરંપરાએ મોક્ષનું કારણ છે. આ ભાવને વાત્સલ્ય કહેવામાં આવે છે. સર્વાત્મમાં સમદષ્ટિપણું હોય છે.
પ્રભાવના અંગ :
વીતરાગ પરમાત્માના શાસનથી શોભા અને માહાત્મ્ય વધારવા વિશિષ્ટ દાન, શીલ, તપ, પૂજા જેવાં કાર્યો કરવાં અન્ય જીવોને સદ્ધર્મ પ્રત્યે દોરવા તે પ્રભાવના ગુણ છે.
♦ જીવનનું સુપ્રભાત : અનાદિકાળના પરિભ્રમણના કારણભૂત અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવા સમ્યગ્દર્શન એ ‘સુપ્રભાત’ છે. પ્રભાત થતાં સૂર્યના પ્રકાશ વડે જેમ ધરા પ્રકાશી ઊઠે છે અને પ્રાણીમાત્રનું જીવન ગતિશીલ બને છે, તેમ સમ્યગ્દર્શન પ્રગટ થતાં જીવનનું ચૈતન્ય સભ્યજ્ઞાન-પ્રજ્ઞારૂપે પ્રકાશી ઊઠે છે. તે પ્રકાશમાં જગતના પદાર્થોનું યથાર્થ વસ્તુ-સ્વરૂપ સમજાય છે, અનંતકાળની મિથ્યા ભ્રમણાઓ ભાંગી જાય છે. અજવાળું થતાં જેમ અંધકાર અર્દશ્ય થઈ જાય છે, તેમ સમ્યગ્ગાને કરીને અંધકાર દૂર થઈ જાય છે. ચિત્તની નિર્મળતાને કારણે તે આત્માનો ગુણરાશિ પ્રગટતો જાય છે. તે દ્વારા સકામ નિર્જરા થઈ આત્મા અનુક્રમે
૬૧