SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ મરણ થવાથી મારો નાશ થશે તેવા ભયરહિત. રોગ થતાં વેદના ભોગવવી પડશે તેવા ભયરહિત. અરક્ષા-પોતાની અને પરિવારની રક્ષાથી ભયરહિત. અગુપ્ત-પોતાના ધનમાલ ચોરાઈ જવાના ભયરહિત. અકસ્માત-અચાનક અકસ્માત થતાં શું થશે તેવા ભયરહિત. આવા સાત પ્રકારના ભયથી સમ્યગુદૃષ્ટિ આત્મા નિઃશંક-નિશ્ચિત હોય છે. પોતાનો આત્મા આલોક છે, મોક્ષ પરલોક છે, આવો અંતરમાં નિશ્ચય થવાથી તે આત્મા સંપૂર્ણપણે નિઃશંક બની જાય છે. આત્માને મૃત્યુ નથી અને શરીરાદિ તો જડ છે, અનિત્ય છે. રોગાદિ તે પુગલના પર્યાય છે, તેથી તેને મૃત્યુનો અને રોગનો ભય સતાવતો નથી. પરને પોતાનું માનતો નથી, પૂર્વના યોગે કર્મનો ઉદય થાય છે અને તે ફળ આપીને જાય છે, તેથી તેને અરક્ષાનો કે ચોરીનો ભય સતાવતો નથી. આત્માને વિભાવદશા સિવાય કોઈ અકસ્માત નડતો નથી, તેથી અકસ્માતના ભયે આત્મા વિદ્વ થતો નથી. નિઃકાંક્ષિત અંગ : (આકાંક્ષારહિતપણું) સમ્યગુદૃષ્ટિ આત્મા ઈદ્રિયજન્ય સુખોની આકાંક્ષાથી રહિત હોય છે. તેવાં સુખો પુણ્યયોગે પ્રાપ્ત હોવા છતાં અંતે તે દુઃખનું મૂળ છે તે વાતનો તેને નિર્ણય થયો હોવાથી સમ્યગુદૃષ્ટિ આત્માને નિરાકુળ સુખની પ્રાપ્તિ થાય છે. નિર્વિચિકિત્સા અંગ : (જુગુપ્સારહિતપણું) દેહ તેના સ્વભાવથી જ અશુચિમય છે. ત્વચા વગરના દેહનો વિચાર કરવાથી તે વાત સ્પષ્ટ થશે. તે દેહમાં આત્માનું શુદ્ધસ્વરૂપ પ્રગટ થવાની કોઈ અપેક્ષાએ સંભાવના હોવાથી તે પવિત્ર મનાય છે, તેથી જ્ઞાનીનું મલિન કે કૃશ શરીર જોઈ ગ્લાનિ કે તિરસ્કાર ન થાય તેમજ અન્યને વિષે પણ અસદ્ભાવ ન થાય તેવો સમ્યગુદૃષ્ટિ આત્માનો નિર્વિચિકિત્સા ગુણ છે. ૬૦
SR No.005926
Book TitleDhyan Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDeepakbhai & Dharmiben Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy