________________
शंकाकांक्षाविचिकित्सान्यदष्टिप्रशंसासंस्तवाः सम्यग्दष्टे : अतिचाराः ।
- તત્ત્વાર્થસૂત્ર ૭ર૩ ૧. શંકારહિત હોય છે સર્વદેવ પ્રરૂપિત તત્ત્વદર્શન જેવું છે તેવું
તે શ્રદ્ધે છે. પદાર્થોના સ્વભાવનું રહસ્ય સમજે છે તેમાં શંકારહિત હોય છે. પ્રશ્ન ઉદ્ભવે તો વિનયાન્વિત થઈ સદ્ગુરુ પાસે સમાધાન મેળવે છે. કાંક્ષા-ઈચ્છારહિત હોય છે : સંસારના પદાર્થોથી મને સુખ મળશે તેવી ભ્રમણા ભાંગી જાય છે, તેથી તેવા પ્રકારની અંતરંગ ઈચ્છાઓથી દૂર રહે છે. કેવળ આત્મસ્વરૂપ પ્રાપ્ત હો એવી આકાંક્ષા રહે છે. વિચિકિત્સા-નિંદાથી રહિત હોય છે : નિંદા જેવા પાપ ઉત્પાદક વ્યવહારથી તે દૂર રહે છે. ગુણીજનો પ્રત્યે અંતરથી પ્રમોદભાવ
રાખે છે. અન્ય પ્રત્યે અસદ્ભાવ થતો નથી. ૪. મિથ્થામતિની પ્રશંસાથી મુક્ત હોય છે : કોઈ ચમત્કાર જેવાં
પ્રલોભનથી અંજાઈને કહેવાતા ત્યાગીઓની પ્રશંસા કરવાથી કે
સંપર્કથી દૂર રહે છે. ૫. કુસંગીના સંગ અને સ્તુતિથી દૂર રહે છે. અર્થાતુ આવા પાંચ
અતિચારથી દૂર રહે છે. સમ્યગ્દર્શનનાં આઠ અંગ : "निरसंकिअ निक्कं खिअ निवितिगिच्छा अमूढदिट्ठिअ; उववुह थिरी-करणे वच्छल्लप्पभावणे अट्ठ."
- અતિચાર ગાથા. ૩ નિઃશંક્તિ અંગ : " સતુદેવ, સદ્ગુરુ, સતુધર્મ તથા સન્શાસ્ત્ર તે જ તત્ત્વભૂત છે. સત્યાર્થસ્વરૂપ છે તેમાં તથા સન્માર્ગમાં સંશયરહિત શ્રદ્ધા તે નિશક્તિ ગુણ છે. વળી આત્માની આત્મારૂપે શ્રદ્ધા હોવાથી તે નીચેના સાત ભયથી રહિત હોય છે૦ આલોકમાં આજીવિકાદિનો નાશ થવાના ભયરહિત. ૦ પરલોકમાં હવે પછી કેવી ગતિ થશે તેવા ભયરહિત.
૫૯