________________
નથી, પરંતુ આત્મસ્વરૂપમાં લીન રહેવાનો દઢ પ્રયત્ન કરે છે. તે આત્મા વિચારે છે કે, આ જીવે સંસારમાં ઘણું ઘણું પરિભ્રમણ કર્યું છે, તે હવે સમાપ્ત થાઓ અને સંસાર છૂટી જાઓ-આ ભાવના તે નિર્વેદ છે.
આસ્થા-શ્રદ્ધા : સમક્તિદશા પ્રાપ્ત થવામાં બાહ્ય નિમિત્ત પરમાત્મા છે. જેમણે આત્મા પ્રગટપણે જાણ્યો છે, અનુભવ્યો છે, તે આપ્તપુરુષો જ શ્રદ્ધા કરવા યોગ્ય છે. તેમના પ્રરૂપેલા માર્ગે ચાલવાથી આ આત્માનું કલ્યાણ છે તેવો દઢ નિશ્ચય તે શ્રદ્ધા છે. - સદ્ગુરુના યોગે તત્ત્વનો યથાતથ્ય બોધ થયે સાચી શ્રદ્ધા ઊપજે છે. દરેક તત્ત્વને તેના સ્વરૂપે જાણવાથી જીવને વિધળતા થતી નથી, પણ તત્ત્વરૂપ શ્રદ્ધા રહે છે. આમ આપ્તપુરુષના વચનબોધમાં દઢ શ્રદ્ધા તે આસ્થા છે.
અનુકંપા સંસારમાં આધિ, વ્યાધિ અને ઉપાધિથી તપ્ત જીવોને તેમનાં દુઃખો દૂર કરવામાં સહાયક થવાની ભાવના તે અનુકંપા છે. દરેક આત્માને પોતાના આત્મા સમાન જાણવાથી અનુકંપાનો ગુણ વિકસે છે. તે ગુણ જયારે ચરમ સીમાએ પહોંચે છે ત્યારે તે કરુણાનું સ્વરૂપ ધારણ કરે છે. એવા આત્મા સ્વપરનું કલ્યાણ સહજભાવે થાય તેમ વર્તે છે. તે સવિશેષપણે પરમાર્થમાર્ગનો અધિકારી થાય છે.
સમ્યગુદશાના આવા ગુણો પ્રગટવાથી આત્માની જીવનદૃષ્ટિ વિશાળ બને છે. તેની દૃષ્ટિ પશુપક્ષીની જેમ પોતાનું કે પોતાના પરિવારના જીવનનિર્વાહ કરવા જેટલી મર્યાદિત દૃષ્ટિ નથી હોતી, પણ સર્વ જીવો પ્રત્યે સમદષ્ટિ રહે છે. બહારથી ગૃહસ્થ દાન-દયાદિ રૂપ સત્કાર્યો કરે છે અને અંતરમાં આત્મભાવે સૌનું શ્રેય ચાહે છે. આત્માના આ ગુણો તેના અંતરંગને પ્રગટ કરે છે. આ લક્ષણોની સાથે સાથે બીજા ઘણા સહાયક ગુણોનો વિકાસ થાય છે. આવો જીવ મોક્ષમાર્ગમાં ત્વરાથી આગળ વધે છે.
સમક્તિ-દષ્ટિ જીવમાં ઉત્તમ લક્ષણો પ્રગટ થાય છે અને આ માર્ગના નીચે કહેલા અતિચારો દૂર થતા જાય છે.
૫૮