SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ તથા નવતત્ત્વની શ્રદ્ધા, વીતરાગનાં વચનમાં ધર્મમય આજ્ઞાનો આદર અને દયારૂપ મૂળ ધર્મ તેનાથી વિપરીત મિથ્યાત્વ છે. ઉપરના મિથ્યાત્વના પ્રકારોને જાણે-અજાણે પણ સેવવાથી સંસારપરિભ્રમણ વધે છે અને જીવ દુઃખ પામતો રહે છે. સમ્યગ્દર્શનનાં લક્ષણો : શાસ્ત્રમાં સમ્યગ્દશાનાં પાંચ લક્ષણો છે જે આ પ્રમાણે છે : શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા. આ પાંચ પ્રકારો આત્મદશાને જાણવાનાં માપકયંત્રો જેવાં છે. તેના ભાવાર્થને સમજવાથી તેનો સ્પષ્ટ ખ્યાલ આવશે. મિથ્યાત્વરૂપી મિથ્યામતિથી અને દિશામૂઢતાથી પાછા વળેલા જીવમાં આ ગુણો પ્રગટ થાય છે અને તેથી જીવ સાચી દિશા તરફ વળે છે. શમ : ક્રોધ, માન, માયા, લોભરૂપી કષાયોનું મંદ થવું, રાગાદિભાવોનું મંદ થવું, અર્થાત્ બંધનાં કારણોનું શમાઈ જવું તે શમ છે. જેમ જેમ કષાયો શાંત થતા જાય તેમ તેમ તેનું સ્થાન ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ લે છે. રાગ-દ્વેષનું સ્થાન નિર્મળ પ્રેમ અને મધ્યસ્થતા લે છે, તેની ફળશ્રુતિ વૈરાગ્ય છે. કષાયનું શમન થવાથી સાધક કોઈને દુભવતો નથી અને પોતે કોઈથી દુભાતો નથી. ક્ષમાદિ સ્વગુણો વડે હમેશાં પ્રસન્ન રહે છે. સંવેગ ઃ જગતના આકર્ષક પદાર્થોને તથા દેવાદિ ગતિનાં સુખોને તુચ્છ માની કેવળ એક મુક્તિની અભિલાષા સેવવી તે સંવેગ છે. આ ગુણ જેને પ્રાપ્ત થયેલા છે તે આત્માને સંસારનાં સુખ દુઃખના કે સંયોગ-વિયોગના પ્રસંગે પ્રીતિ-અપ્રીતિ ઉદ્ભવતી નથી. તેવા પ્રસંગોથી વિરકત થઈ તે એક આત્માર્થને જ સાધે છે. નિર્વેદ ઃ સંસારનાં પરિભ્રમણોનાં કારણોનો બોધ પામી, આત્મા તે પ્રત્યે થાકનો અનુભવ કરે છે. પોતાના દેહ કે પરિવાર પ્રત્યે પણ તેને ઉદાસીનતા આવે છે, અંતરંગ રુચિ રહેતી નથી. જે કંઈ વ્યવહાર કરવો પડે છે તે ન છૂટકે થવા દે છે. વળી તે ઈદ્રિયવિષયોથી લોભાતો ૫૭
SR No.005926
Book TitleDhyan Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDeepakbhai & Dharmiben Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy