________________
ન થતાં, આત્મા વિડંબના પામે છે. છદ્મસ્થના મનની સ્થિરતાને ધ્યાન કહેવામાં આવે છે.”
સામ્યભાવ સિવાય ધ્યાન હોતું નથી અને ધ્યાન સિવાય નિષ્કપ સમત્વ આવતું નથી.”
શાસ્ત્રોકારોનું કથન છે કે, મુનિ મુખ્યપણે ધ્યાનના અધિકારી છે, છતાં ગૃહસ્થ સમક્તિ કે સમ્યગુદર્શનવાન હોય, અથવા તે દશાની નજીક હોય અને જો ધ્યાનમાર્ગનો પુરુષાર્થ કરે તો મુનિદશાને યોગ્ય થવા માટેનો વિકાસ સાધી શકે છે. માટે સમક્તિ કે સમ્યગદર્શન વિષેનું જ્ઞાન, તે ધ્યાનનું અંગ હોવાથી તેને વિષેનું જ્ઞાન આવશ્યક
છે.
સામાન્યતઃ ચારે ગતિમાં સમક્તિપ્રાપ્તિની સંભાવના છે. આ વિષમ અને વિકટકાળમાં સંસારપરિભ્રમણના કારણરૂપ મિથ્યાત્વ શું છે તે સમજાવું મનુષ્યને અઘરું છે; તેમજ સમક્તિના સ્વરૂપની યથાર્થ શ્રદ્ધા થવી જ દુર્ઘટ છે તો પછી સમ્યગુદર્શન અને જ્ઞાનની સાક્ષાત્ પ્રાપ્તિ દુર્લભ હોય તેમાં આશ્ચર્ય શું? ૦ મિથ્યાત્વ શું છે તે જાણવાની આવશ્યકતા :
સંસારમાં જીવો પ્રાયે મિથ્યારૂપી ગ્રંથિથી બંધાયેલા છે, આ મિથ્યાત્વ શું છે? ૦ મિથ્યાત્વ એટલે વિપરીત માન્યતા કે વિપર્યાયબુદ્ધિ.
અસતુને સત્ સમજવું; સને અસત્ સમજવું તે. દેહમાં આત્મબુદ્ધિ - દેહ તે “હું છું તેવી માન્યતા. આત્મામાં દેહબુદ્ધિ, રાગાદિ પર્યાયમાં પોતાપણું, સુખદુઃખાદિમાં આત્મભાવ. અસત્ પદાર્થો કે દેહાદિમાં સુખબુદ્ધિ. સત્-આત્માથી વિમુખતા કે તેનું વિસ્મરણ. સતુદેવ, ગુરુ અને ધર્મમાં અનાસ્થા કે અનાદર. અસદેવ, ગુરુ અને ધર્મમાં આસ્થા કે આદર. તત્ત્વ-સંબંધી એકાંત માન્યતા, વગેરે અનેક પ્રકારે જાણવું. સતુદેવ-સર્વજ્ઞ વીતરાગ, સદ્ગુરુ-નિગ્રંથમુનિ, સધર્મ-છ દ્રવ્ય
પE