________________
જ્ઞાનાવરણાદિ કર્મોનું આવરણ હોવાથી આત્મજ્ઞાનનો પ્રકાશ પ્રગટપણે અનુભવમાં આવતો નથી; અને અજ્ઞાનવશ જીવ સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે.
અજ્ઞાનને વશ થયેલો આત્મા, પૌલિક પદાર્થોના સંયોગવિયોગથી થતું સુખદુઃખનું વેદન પોતાને થાય છે. તેમ અનુભવે છે. પણ જ્ઞાનાવરણ મંદ થવાનાં નિમિત્તા પ્રાપ્ત થતાં સાધકનું લક્ષ આત્મજ્ઞાન પ્રત્યે વળે છે, તેથી ક્રમે ક્રમે અજ્ઞાન દૂર થતું જાય છે સ્વયં આત્મા જ સ્વભાવે જ્યોતિ સ્વરૂપ છે એવી અંતરંગ શ્રદ્ધા થતાં આત્મા પોતે જ બોધ પામે છે કે, અરે ! આત્મા તે “હું પોતે જ છું, હું પરમાર્થથી શુદ્ધબુદ્ધ, નિરંજન, નિરાકાર ચૈતન્યરૂપ છું, આવું સ્વ-જ્ઞાન થતાં હું પણ મટીને પોતે જ્ઞાતા-દ્રષ્ટા બની જાય છે અને કર્તુત્વભોકતૃત્વના ભાવ કે જે પરિભ્રમણનાં કારણો હતાં તે મંદતા પામે છે, અને ક્રમે કરીને તે નષ્ટ થાય છે, ત્યારે હું પોતે હું મટી ‘હરિ રૂપે પ્રગટ થાય
સમ્યગ્દર્શન-જ્ઞાનનો મહિમા :
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યરચિત યોગશાસ્ત્ર ગ્રંથમાં સમ્યગુદર્શનાદિના માહાસ્યની પ્રરૂપણા નીચે પ્રમાણે કરવામાં આવી છે કે
રાજ્ય મળવું, ચક્રવર્તી થવું કે ઈદ્રપણું મેળવવું દુર્લભ કહ્યું નથી, પણ, બોધિરત્ન (સમ્યગ્દર્શન) પ્રાપ્ત કરવું દુર્લભ છે.”
જેવી રીતે તત્ત્વોનું સ્વરૂપ કહેલું છે તેવી જ રીતે સંક્ષેપથી કે વિસ્તારથી તેનો બોધ થવો તેને વિદ્વાન પુરુષો સમ્યગુજ્ઞાન કહે છે.”
કર્મક્ષયથી મોક્ષ થાય છે. તે કર્મક્ષય આત્મજ્ઞાનથી થાય છે. તે આત્મજ્ઞાન ધ્યાનથી થાય છે માટે ધ્યાનને હિતકારી માનેલું છે.”
“વિષયોથી વિરામ પામેલા અને સમભાવથી વાસિત ચિત્તવાળા મનુષ્યોને કષાયરૂપ અગ્નિ ઉપશમી જાય છે અને સમ્યકત્વરૂપ દીપક પ્રગટે છે.”
“સમત્વનું અવલંબન કરીને યોગીઓએ ધ્યાનનો આશ્રય કરવો જોઈએ, સમભાવ સિવાય ધ્યાનનો પ્રારંભ કરવામાં, ધ્યાનમાં પ્રવેશ
૫૫