SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ કરી હાથમાં રહે તેવું નથી. આવા મનની શુદ્ધિ વિષે કેટલીક વિગત જાણવી ખૂબ જરૂરી છે. આગમ આગમધરને હાથે, નાવે કિણ વિધ આંકું, તિહાં કણે જો હઠ કરી હઠકું, તો વ્યાલ તણી પેરે વાંકું. - હો કુંથુજિન. મોટા આગમશાસ્ત્રોના અભ્યાસીઓ, શાસ્ત્રોને મુખપાઠ કરી લે તોય મન કોઈથી સહજમાં હાથ આવતું નથી. હઠયોગ જેવી સાધના કરીને સિદ્ધિઓ પ્રગટે તેમાં રાચે, અથવા જો જીવ એમ વિચારે કે હું તો મનને પળમાં વશ કરીશ અને કંઈ સંકલ્પ કરે તો માયાનું રૂપ ધરીને મન જીવને છેતરે છે અને (વ્યાલ) સર્પની જેમ વાંકુંચૂકું થઈને હાથથી સરકી જાય છે, પણ હાથમાં, સંયમમાં આવતું નથી. વળી આગળ કહે છે કે, મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એક વાત નહિ ખોટી, એમ હે સાધ્યું તે નવિ માનું, એક હી વાત છે મોટી. - હો કુંથુજિન. આમ મુક્તિનો ઉપાસક જ્ઞાનમાર્ગે ચાલીને જ્ઞાનસ્વરૂપ થાય તે પહેલાં તો અહંકાર તેને ઝડપી લે છે. ધ્યાન માર્ગે જતાં ઉપાસક ઉપર દૈહિક અને માનસિક ઉપલબ્ધિઓ ભરડો જમાવે છે. આમ મન જ્યારે વિપરીત બુદ્ધિની રાહે ચાલે છે ત્યારે તે શત્રુ બની વિદ્રોહ ઉત્પન્ન કરી અવળે પાટે ચઢાવી દે છે. મન, લિંગભેદ નપુંસક હોવા છતાં રાવણ જેવાને પણ તેણે પછાડયા છે. તેવા મનના ભરોસે જીવનને ચલાવવું એટલે કે બ્રેક વગર ગાડી ચલાવવા જેવું જોખમ છે. મનને પવનવેગી કહ્યું છે. એક આત્મજ્ઞાન વડે જ તે જીતી શકાય છે. તેથી મનશુદ્ધિ સહિત જે આત્માને ઉપાસે છે તેની સર્વ ઉપાસના સાર્થક થાય છે. • એ પળો પણ વહી જાય છે ? શાસ્ત્રોનાં કેવળ કથન શ્રવણથી આ મન શાંત થતું નથી. પુનર્જન્મની અને ભાવિજન્મની ચર્ચાઓ કરે, કે મન આપણને શું કરવાનું હતું? તેવું જોર બતાવે પણ એક તીવ્ર વૃત્તિ ઊઠી કે જીવ પળ
SR No.005926
Book TitleDhyan Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDeepakbhai & Dharmiben Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy