SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ચૂક્યો જ સમજો. વર્તમાન પળ વિવેકના અભાવમાં કે ખોટા અભ્યાસને કારણે પસાર થઈ જાય છે અને મળેલો અવસર ચૂકી જાય છે. હાથમાં આવેલી પળો આમ વહી જાય છે. સંસારમાં જીવો નાના પ્રકારના સુખોમાં રાચે છે અને દુઃખ આવે અકળાય છે. સુખદ:ખાદિની લાગણીઓ, મન દ્વારા જીવે છે. મનમાં વિચાર, બુદ્ધિ, કલ્પના, અહમ્, મમત્વરૂપી સંસ્કારોનો અઢળક ખજાનો ભર્યો છે. બાહ્ય નિમિત્તો અને ભાવોની અંતરંગ ક્રિયા સામે એ ખજાનામાંથી તત્ક્ષણ પ્રતિક્રિયા ઊઠે છે અને જીવ અનુબંધનીઆગામી બંધની શૃંખલામાં જઈ પડે છે. ખસનો દર્દી ખણે ત્યારે સારું લાગે પણ પછી બળે ત્યારે દુઃખ અનુભવે છે. તેમ મનના માર્યા જીવવાથી તેવી દશા થાય છે. ભૂતકાળની સ્મૃતિઓને વાગોળીને સુખદુઃખ અનુભવે છે. ભાવિ કલ્પનાની આશા સેવીને સ્વયં પોતાનું વિસ્મરણ કરે છે અને શુદ્ર પદાર્થોના સુખમાં રાજી થઈ વર્તમાનની પળો ગુમાવે છે, વહી જાય છે. હે જીવ! વિરામ પામ, કારણ કે વીતેલા જન્મો, વીતેલો અવસર, સમય કે પળ પાછાં આવતાં નથી. શેષ રહે છે, માત્ર શુભાશુભ સંસ્કાર. માટે શુદ્ધાત્માનું લક્ષ્ય કર. • દોષ વિસર્જન થતાં સાક્ષીભાવ કેળવાય છે ? જગતમાં હું કંઈક છું, કંઈ થાઉં, એ આશામાં ધર્મ કહેવાતો મુમુક્ષુ પણ અસતુ વાસનાઓમાંથી કેટલો બહાર નીકળ્યો તે વિચારણીય છે. કર્મક્ષેત્રે કે ધર્મક્ષેત્રે હજી આપણે માન ઈચ્છીએ અને અપમાન મળે ત્યારે વ્યાકુળ થઈએ છીએ, સુખ ઈચ્છીએ અને દુઃખ મળે તો દુભાઈએ છીએ, અનુકૂળતા જોઈએ અને પ્રતિકૂળતા આવે તો મૂંઝાઈએ છીએ. તેથી હું'ની-મનની ભૂમિકાથી મુક્ત થતા નથી. મનથી મુક્ત થવાનો, મનને શાંત કરવાનો ઉપાય એક દોષ વિસર્જન છે. બાહ્ય તપ, જપ કે શ્વાસજય જેવી ક્રિયાથી મનનો સ્થળ નિરોધ થશે પણ દોષોનું વિસર્જન તો, સ્વરૂપના સાચા જ્ઞાન ધ્યાન વડે મુખ્યપણે સંભવે છે એવો દઢ નિશ્ચય કરવો. જેમ કોલસા કે લાકડા બળી ગયા પછી રાખ થાય છે,
SR No.005926
Book TitleDhyan Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDeepakbhai & Dharmiben Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy