SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ તે રાખમાં હવે અગ્નિતત્ત્વ ન હોવાથી અગ્નિરૂપ થવાની શકયતા નથી. તેમ જ્ઞાન-ધ્યાનના અગ્નિ વડે દોષો દૂર થતાં નવું બળતણ ન મળવાથી મન શાંત થાય છે. ત્યાર પછી સાક્ષીભાવ વડે વ્યવહાર નભે છે અને દ્રષ્ટાભાવ સ્થાપિત થાય છે. વિવેક અને અભ્યાસ દ્વારા દ્રષ્ટાને દશ્યનું આકર્ષણ પ્રાયે સમાપ્ત થતાં દેશ્ય અને દ્રષ્ટાનું યથાર્થ સ્વરૂપ સમજાય છે. તે આત્મા હવે મન દ્વારા બહારના પદાર્થોને જાણવા-જોવાની ઈચ્છા ત્યજી પોતાના સ્વરૂપને જોનારો-જાણનારો રહે છે. મનના દોષો વિસર્જન થતાં આવો જ્ઞાતાદ્રષ્ટાભાવ પ્રગટ થતો રહે છે. સંસારના પ્રવાહમાં તણાતા જીવને આવી વાતોનું રહસ્ય સમજાતું નથી. સિનેમા, નાટક જોવા જાય ત્યારે પોતે જોનારો અલગ છે અને ભજવનારો અલગ છે તે મનમાં સમજે છે, તેમ જ્ઞાની જગતનાં દશ્યો જુએ ત્યારે ભજવનારા “હું'થી અલગ રહે છે. સરળ રીતે સમજાતું અને જિવાતું આ રહસ્ય સાક્ષીભાવે સમજી શકાય છે. દેહમાં અને બહારમાં હું'નું પ્રભુત્વ જમાવીને બેઠેલું અહમ્ ઓળગે ત્યારે સાક્ષીભાવ શું તે સમજાય છે. ત્યાં સુધી તે શબ્દનો કે ભાવનો એક અંશ સમજાવો શકય નથી. મરજીવા થઈને જે અતલ સાગરમાં ઊંડે ડૂબકી મારે છે તે કીમતી મોતી મેળવે છે. તેથી વિશેષ ઊંડાણવાળો આત્મરૂપી અમૃતસાગર છે. મલિન મન જેવાં તત્ત્વોને હટાવી મરજીવા બને છે તે અમૃતબિંદુ પામે છે. • ધર્મની ધરા પર કોણ ટકશે ? માનવજીવનના સંઘર્ષોને શમાવવા, મનના વિકારોને, આવેગોને અને આક્રમક વૃત્તિઓને શમાવવા કેવળ શાસ્ત્રનાં સૂત્રો કે બાહ્યક્રિયાઓ કેટલી ઉપયોગી નીવડશે? કે પછી મન અને આત્માના સંશોધનની જરૂર છે? આને વિષે કોઈ પ્રકારે વિજ્ઞાનક્ષેત્રની જેમ ધર્મવિજ્ઞાનના દ્રષ્ટાઓએ અને નેતાઓએ બાહ્ય પ્રયોજનોને સંકેલી, સૌ પ્રથમ સ્વયંસંશોધન કરી, મનના રોગોની પીડાથી મુક્ત થવાનું વિચારવા જેવું છે. ધાર્મિક કહેવાતા સંતો, ધુરંધરો કે નેતાઓ, મહત્ત્વાકાંક્ષા, સંપત્તિ, કામાદિ કષાયો, આત્મપ્રશંસા કે આત્મવંચના જેવા રાજરોગથી પીડાતા હોવા છતાં તેને રાજયોગ માનીને કે શાસનની-ધર્મની રખેવાળી માનીને લોકોની ભક્તિનો દુરુપયોગ કરશે, તો આ ધર્મની ધરા પર કોણ
SR No.005926
Book TitleDhyan Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDeepakbhai & Dharmiben Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy