________________
ટકશે? સંપત્તિનો રખેવાળ સંત્રી જ જો ચોરી કરે, ધર્મ વડે જ જો શોષણ થાય તો ધર્મ ક્યા સમાજમાં કે ધર્મસ્થાનોમાં ટકશે? અને તે સાધકોમાં અને સમાજમાં કઈ અને કેવી શ્રદ્ધા પ્રગટાવશે?
છતાં આધુનિક વિજ્ઞાનયુગમાં અદ્યતન સાધનોથી ભરપૂર અમેરિકાના તત્ત્વચિંતકો અને પ્રભુશ્રદ્ધાવાળા વિચારવાનોની અધ્યાત્મપ્રાપ્તિની નજર ભારતભૂમિ પ્રત્યે આકર્ષાયેલી રહી છે, કારણ કે આજે પણ આ ભૂમિમાં પ્રભુને સમર્પિત નિસ્પૃહ ભક્તજનો, પરમતત્ત્વના સાચા ઉપાસકો અને આત્માનુભવી સંતો અલ્પસંખ્યક હોવા છતાં વિદ્યમાન છે અને તેઓ પરમતત્ત્વને આત્મસાત્ કરી પ્રગટ કરતા રહે છે, આત્મજ્યોતને જલતી રાખે છે. તેઓ સાધકને માટે સાચા માર્ગદર્શક છે. સાચા સાધકને તેમનું મિલન થાય છે. આમ આ ભૂમિની આધ્યાત્મિકતા જળવાઈ રહી છે. • મનનું સંશોધન
વર્તમાનના તત્ત્વચિંતકોએ એ વાત તો સ્વીકારી જ છે કે મને એ દીર્ઘ સમયના ભૂતકાળનો સંસ્કારરાશિ છે. વળી આ જન્મમાં ઘણા પ્રકારે તેમાં મલિન સંસ્કારો જમા થતા જાય છે. મલિન સંસ્કારયુક્ત મન પવિત્ર વસ્તુને સ્વીકારી શકતું નથી. આ મલિનતા તે રાગ-દ્વેષ, પ્રીતિ-અપ્રીતિ, ગમો-અણગમો, સ્વાર્થ-મોહ, વગેરે રૂપમાં હોય છે, તેની ઉત્પત્તિમાં બહારનાં કારણો નિમિત્ત માત્ર છે. રાગાદિ ભાવો દરેક જીવનું પોતાનું ઉપાર્જન છે, તે મનનો મલિન ભાગ છે, અશુદ્ધ ઉપયોગ છે, તેને મોહ કે મૂર્છા પણ કહી શકાય. મૂછવશ મન માનવને પશુતામાં પરિવર્તિત કરી દે છે. મનનું આ એક પાસું છે. આ મનને જે મિત્ર બનાવે છે, શુદ્ધ બનાવે છે, તેને ધ્યાનમાર્ગમાં સફળતા મળે છે. જ્ઞાનસંસ્કાર વડે અંતરદૃષ્ટિયુક્ત યોગીજનો અને મુનીશ્વરોએ આવા મનનું સંશોધન કરી, મેલની જડનો મૂળમાંથી છેદ કરી, મનને વશ કર્યું છે અને મહાન મનોજયી થયા છે.
આમ પ્રાચીન કે અર્વાચીન કોઈ પણ કાળમાં માનવ માટે મનોનિગ્રહનો પ્રશ્ન જટિલ જ રહ્યો છે. સૃષ્ટિમાં આજે માનવ વિશેષ અશાંત છે અને માનસિક દુઃખ, દર્દ અને સંઘર્ષથી પીડિત છે. પ્રાચીન યુગમાં માનવને મન તો હતું પણ તે કાળના માનવના જીવનમાં સરળતા, સાદું અને સંતોષી જીવન, ઉચ્ચતમ ધ્યેય પ્રત્યેની નિષ્ઠા અને આત્મા