________________
પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા જેવાં ઉત્તમ તત્ત્વોને કારણે માનસિક સંઘર્ષોનું અને દર્દીનું પ્રમાણ અલ્પ હતું, તેનું સમાધાન સહજ હતું.
આજે વ્યક્તિ સ્વાતંત્ર્યના નામે સ્વચ્છંદતાનું પ્રમાણ વધતું જાય છે. વ્યક્તિ માને છે કે તે સ્વાતંત્ર્ય ભોગવે છે, પણ એક ક્ષુદ્ર બીડી જેવું કે અન્ય વ્યસન ત્યજી દેવા જેવી જે મનુષ્યમાં તાકાત નથી તેને સ્વાધીનતા કે સ્વતંત્રતા શું તેનો મર્મહાથ નહિ આવે. પરિણામે તે સ્વચ્છંદતા તરફ જાણેઅજાણે ઘસડાતો જાય છે. બ્રેક રહિત ગાડી ચલાવે છે. એક બાજુ સ્વચ્છંદતા અને બીજી બાજુ પરાધીનતા-આ માનવજીવનના સંઘર્ષોનાં મહાન કારણો છે. તેને રોગ કહો તોપણ ચાલી શકે. • ધર્મની ફળદ્રુપતા માનવને સાચો ધર્મ પમાડશે ?
ભારતભૂમિ એ અધ્યાત્મની જનની છે” એ સૂત્ર નવી પેઢીને કાને પડ્યું હશે? કે એ ભૂતકાળની વાત સમજી વિસરાતી જાય છે? જો કે છેલ્લાં પચીસ વર્ષમાં આ દેશમાં મંદિરો, આશ્રમો, ધ્યાન કેન્દ્રો અને કેટલાંક ધર્મનામધારી ક્ષેત્રો વિપુલ પ્રમાણમાં વિકસ્યાં છે અને વિકસતાં જાય છે અને એ સર્વ સ્થળોમાં માનવમેળો ઉભરાય છે. આમ માનવ, ધર્મ પામવા બહારમાં પ્રયત્ન કરે છે.
જેમ રાસાયણિક ખાતર દ્વારા હાઈબ્રીડ બાજરીનું ઉત્પાદન વધ્યું છે તેમ આવાં સ્થાનોમાં જનસંખ્યાનું પ્રમાણ વધ્યું છે. વડીલજનો કહે છે કે હાઈબ્રીડ બાજરીના રોટલામાં સત્ત્વ કે મીઠાશ નથી રહી. તેવું આ ક્ષેત્રનું બન્યું હોય એમ જણાય છે. ધર્મ અને ધર્મનાં સ્થાનો વધવા છતાં માનવ ધર્મવિમુખ કેમ દેખાય છે? અધ્યાત્મની જનનીનો વારસ કયાં ભૂલ્યો છે? ઋષિજનોએ તો માનવને “અમૃત પુત્ર ' કહ્યો છે, પરંતુ તે હકીક્ત માનવી વિસરતો જાય છે. તેથી ગયા સૈકાના તત્ત્વચિંતક શ્રીમદ્ રાજચંદ્રજીએ માનવને ગંભીરપણે ચેતવી દીધો કે -
“સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષે લહો; ક્ષણ ક્ષણ ભયંક્ર ભાવમરણે કાં અહો રાચી રહો ?' ૦ અવ્યક્તને વ્યક્ત થવા દો તો “ધર્મ' પ્રગટ થશે.
અવ્યક્ત તે આત્મા છે. વ્યક્તિ તે દેહ અને બહારનું જગત છે. અવ્યક્ત અને વ્યકત ક્ષીરનીરવતુ રહ્યાં છે, એકમેક થયાં જણાય છે;
૮૫