SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ પરંતુ તત્ત્વદૃષ્ટિએ જોતાં બંને જેટલાં નિકટ છે તેનાથી સવિશેષપણે ભિન્ન છે. “જડ ને ચેતન્ય બન્ને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બન્ને જેને સમજાય છે; સ્વરૂપ ચેતન નિજ જડ છે સંબંધ માત્ર; અથવા તે ડ્રોય પણ પરદ્રવ્યમાંય છે; એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે; કાયાની વિસારી માયા સ્વરૂપે શમાયા એવા નિગ્રંથનો પંથ ભવ-અન્તનો ઉપાય છે. - શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત, જડ-ચેતન્ય વિવેક. આ દેહમાં વિરાજિત પરમતત્ત્વ અપ્રગટપણે રહ્યું છે. જગતના પદાર્થો પ્રત્યેથી ઉદાસીનતા આવે, વૃત્તિ આત્મભાવમાં ઠરે તો તત્ત્વનો કંઈક અનુભવ થાય. જેને આત્મશ્રેયનું ભાન નથી, જે દિશા-મૂઢ છે, તેની વિચારધારા દેહ અને દેહના સુખ સુધી જ મર્યાદિત રહે છે. એ દેહ તે હું જ છું તેવી માન્યતા કરીને જીવે છે અને કર્મ કરે છે. આ અજ્ઞાન તે સર્વ દુઃખનું મૂળ છે. આમ દેહને અને ચૈતન્યને એક માનવાથી “હું'ના અહંકાર સાથે મમકારનો વિસ્તાર થાય છે. રાગદ્વેષની જેમ આ અહંકાર અને મમકારના પૈડા પર સંસારીનો જીવન-રથ ચાલે છે. આથી આત્મસત્તા અપ્રગટપણે રહે છે. તેને વ્યક્ત થવા દેવા મનઃશુદ્ધિનું સ્થાન પ્રથમ છે. પરમનિધાન પ્રગટ મુખ આગળ” અવ્યક્ત રહેલું એવું પરમનિધાન-આત્મા દેહદેવળમાં વિદ્યમાન છે. ચિત્તની સ્થિર અને શુદ્ધ ધરા પર તે વ્યક્ત થાય છે. જે મહાત્માઓએ આ પરમનિધાનને પ્રગટ કર્યું છે અને કરે છે તેઓ વ્યક્તમાંથી અવ્યક્તમાં પહોંચ્યા છે. શુદ્ધધ્યાન તે અવ્યક્તને આત્મસાત્ કરવાનો માર્ગ છે. ચિંતવેલા ભૌતિક પદાર્થોનું સુખ સચવાય અને આ તત્ત્વ સંપ્રાપ્ત થાય તે સંભવ નથી. તેને માટે અહંકાર મમકારનું વિસર્જન જરૂરી છે. નિરામય ચિત્ત અપ્રગટને પ્રગટ કરવાનો એક ઉપાય છે. તેમ થતાં અવ્યક્ત શુદ્ધપણે પ્રગટ થાય છે. ૮૬
SR No.005926
Book TitleDhyan Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDeepakbhai & Dharmiben Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy