________________
પરંતુ તત્ત્વદૃષ્ટિએ જોતાં બંને જેટલાં નિકટ છે તેનાથી સવિશેષપણે ભિન્ન છે.
“જડ ને ચેતન્ય બન્ને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન,
સુપ્રતીતપણે બન્ને જેને સમજાય છે; સ્વરૂપ ચેતન નિજ જડ છે સંબંધ માત્ર;
અથવા તે ડ્રોય પણ પરદ્રવ્યમાંય છે; એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે; કાયાની વિસારી માયા સ્વરૂપે શમાયા એવા નિગ્રંથનો પંથ ભવ-અન્તનો ઉપાય છે.
- શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત, જડ-ચેતન્ય વિવેક. આ દેહમાં વિરાજિત પરમતત્ત્વ અપ્રગટપણે રહ્યું છે. જગતના પદાર્થો પ્રત્યેથી ઉદાસીનતા આવે, વૃત્તિ આત્મભાવમાં ઠરે તો તત્ત્વનો કંઈક અનુભવ થાય. જેને આત્મશ્રેયનું ભાન નથી, જે દિશા-મૂઢ છે, તેની વિચારધારા દેહ અને દેહના સુખ સુધી જ મર્યાદિત રહે છે. એ દેહ તે હું જ છું તેવી માન્યતા કરીને જીવે છે અને કર્મ કરે છે. આ અજ્ઞાન તે સર્વ દુઃખનું મૂળ છે. આમ દેહને અને ચૈતન્યને એક માનવાથી “હું'ના અહંકાર સાથે મમકારનો વિસ્તાર થાય છે. રાગદ્વેષની જેમ આ અહંકાર અને મમકારના પૈડા પર સંસારીનો જીવન-રથ ચાલે છે. આથી આત્મસત્તા અપ્રગટપણે રહે છે. તેને વ્યક્ત થવા દેવા મનઃશુદ્ધિનું સ્થાન પ્રથમ છે.
પરમનિધાન પ્રગટ મુખ આગળ” અવ્યક્ત રહેલું એવું પરમનિધાન-આત્મા દેહદેવળમાં વિદ્યમાન છે. ચિત્તની સ્થિર અને શુદ્ધ ધરા પર તે વ્યક્ત થાય છે. જે મહાત્માઓએ આ પરમનિધાનને પ્રગટ કર્યું છે અને કરે છે તેઓ વ્યક્તમાંથી અવ્યક્તમાં પહોંચ્યા છે. શુદ્ધધ્યાન તે અવ્યક્તને આત્મસાત્ કરવાનો માર્ગ છે. ચિંતવેલા ભૌતિક પદાર્થોનું સુખ સચવાય અને આ તત્ત્વ સંપ્રાપ્ત થાય તે સંભવ નથી. તેને માટે અહંકાર મમકારનું વિસર્જન જરૂરી છે. નિરામય ચિત્ત અપ્રગટને પ્રગટ કરવાનો એક ઉપાય છે. તેમ થતાં અવ્યક્ત શુદ્ધપણે પ્રગટ થાય છે.
૮૬