________________
૦ મીન એ મનઃશુદ્ધિનું એક સાધન છે :
આત્મારૂપી સ્વદેશ સંસારી જીવને અજ્ઞાને પરદેશ જેવો થઈ ગયો છે. ઘર, વ્યાપાર, સ્ત્રી-પરિવાર વગેરે સંસારગત શેય પદાર્થોમાં બ્રાંતિને કારણે જીવ, સ્વદેશરૂપ જ્ઞાનક્ષેત્રમાં (આત્મા તરફ) જતાં પ્રારંભમાં મૂંઝાય છે. અને શબ્દાદિ જેવાં ઈદ્રિયજન્ય પરિચિત સાધનો ત્યજીને મૌનના અભ્યાસમાં અકળાય છે. મૌનમાં બેસવા જેવી પ્રારંભની ક્રિયામાં જ મનમાં વિકલ્પોનો કોલાહલ થતો જણાય છે. શરીર અકડઈને બોલે છે કે પગ દુઃખે છે, અને વાચાને થાય છે કે મૌન છૂટતાં આમ કહીશ ને તેમ કહીશ. આમ મૌન થવું અનાભ્યાસે અઘરું લાગે છે, છતાં પુનઃ પુનઃ અભ્યાસ વડે સુસાધ્ય છે.
આ મૌન શું છે?
વફતૃત્વ મહાન છે પણ મૌન તેથી પણ મહાન છે. મૌન આપણા દિવ્ય વિચારોનું પવિત્ર મંદિર છે. જો વાણી ચાંદી છે તો મૌન સૌનું છે; અને જે વાણી માનવીય છે તો મીન એક દિવ્ય પ્રેરક શક્તિ છે. મૌન એક મહાન સાધન છે. પરંતુ આપણામાંથી બહુ થોડાને તેનો સદુપયોગ આવડે છે.” - . સોનેજી કૃત “સાધનસાથી'માંથી, “મૌનનો મહિમા.”
માનવનું જીવન જટિલ છે. વિચારવાન માનવ તેને કુટિલપ્રપંચી બનાવતો નથી પણ જટિલતા દૂર કરવા પ્રયત્નશીલ રહે છે. જીવનના સંબંધો અને પ્રસંગોને તટસ્થભાવે યથાર્થપણે જાણે, સમજે અને વર્તે તો તેમાંથી અંત પ્રેરણા જાગ્રત થાય છે. આત્મવંચના કે છલના તે કરી શકતો નથી. આવા દોષો જ ચેતનાને ખંડિત કરે છે તેથી જીવ સમગ્ર સત્તારૂપી આત્માનો અનુભવ કરી શકતો નથી. કારણકે દીર્ઘકાળથી આત્મસ્વરૂપનું વિસ્મરણ થયું છે, અને જીવ અજ્ઞાનવશ જીવન હારી જાય છે. ઈદ્રિયો અને મનને પરવશ થઈ બહુમૂલ્ય માનવજીવન નિરર્થક બને છે.
મન પઢાવેલા પોપટ જેવું છે. તે પ્રગટ કે અપ્રગટ બોલ્યા જ કરે છે. તેને બોલવાનો ખોરાક પાંચ ઈદ્રિયો સતત આપ્યા જ કરે છે. એટલે જો ઈદ્રિયોના વ્યાપારનો સંક્ષેપ થાય તો પ્રથમ સ્થૂલ મૌન
૮૭