________________
સાધ્ય થાય.
કોઈ દર્દીના શરીર પર જ્યારે શસ્ત્રક્રિયા કરવામાં આવે છે, ત્યારે તેને ઔષધ દ્વારા બેહોશ કરવામાં આવે છે; અને તે વખતે તેના શ્વાસ-પ્રાણ, નાડીના ધબકારા ચાલુ જ હોય છે. ચેતનની ઉપસ્થિતિ છે, પણ ઈંદ્રિયોના વ્યાપાર શાંત છે અને મન શાંત થયું છે; તેથી શરીર પર શસ્ત્રક્રિયા થવા છતાં મનુષ્ય એક ઉંહકારો કરતો નથી. ધ્યાનાભ્યાસીઓ અને યોગીઓ જાગ્રત અવસ્થામાં મનને આવું શાંત કરી દે છે. તેથી ધ્યાનાવસ્થામાં મુનિઓને બાહ્ય વિષમ પરિસ્થિતિ પણ વિચલિત કરી શકતી નથી.
જાગ્રતદશામાં ઈંદ્રિયો અને મનના વ્યાપારનું આવું શાંત રહેવું તે મનનું મૌન છે. તે દશામાં થતો સમગ્ર વ્યવહાર તે મૌનની અભિવ્યક્તિ છે. વાણીનું મૌન સ્થૂલ છે; તે જરૂરી છે. પણ મનના મૌન વડે ઉપયોગની શુદ્ધતા થાય છે અને વચનસિદ્ધિ જેવા દિવ્ય ગુણો પ્રગટે છે.
પ્રારંભમાં મનને શાંત કરવું કે જીતવું દુષ્કર લાગે છે, કારણ કે અનાદિકાળની વાસનાઓ વારંવાર ઊઠે છે. વાસનામાંથી તૃષ્ણા જન્મે છે, તેમાં લોભ મળે છે અને અહંકાર પૂર્તિ કરે છે. તેથી મનુષ્ય અનેક કુકર્મ કરવા પ્રેરાય છે. વળી મિથ્યા વાસનાઓ પોષાતી જાય છે. ત્યાં વિવેકજ્ઞાન અને અનાસક્ત ભાવ વડે જ મન શાંત થાય. મનુષ્ય કેટલાયે સદ્ગુણ ધરાવતો હોય પણ જો મનને આધીન થયો તો મન તે સઘળા ગુણોને ભૂલવી દે છે.
મનની વૃત્તિઓની જડ, જ્યાં સુધી મૂળમાંથી નીકળી નથી હોતી ત્યાં સુધી તે સહેજ નિમિત્ત મળતાં સમગ્ર મનને આકર્ષી લે છે. રાવણ જેવા સમ્રાટને એક જ વૃત્તિએ કાળનો કોળિયો બનાવી દીધો હતો તે સુવિદિત છે.
મનના તરંગોની ખતરનાક લીલા :
જૈનદર્શનનો અહિંસાધર્મ સૂક્ષ્મ છે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિમાં ચેતન છે. ધરતી, પૃથ્વી ચેતનમય છે તો તેના અવલંબને બી માંથી અંકુર ફૂટે છે. પાણી વિગેરે ચેતનવંત છે તો તે
८८