________________
સહાયરૂપ થાય છે જગદીશચંદ્ર બોઝે પ્રયોગથી વનસ્પતિમાં ચેતનની પ્રરૂપણા કરી. જેનદર્શનમાં એ વિષે ખૂબ સૂક્ષ્મ ભેદો જણાવ્યા છે જે પ્રાચીનતમ છે અને તેના કારણે જૈનધર્મી આ પદાર્થોનો ઉપયોગ કરવામાં મર્યાદા રાખે છે કારણકે તેની પાછળ સર્વજ્ઞ વીતરાગ વાણીનો પ્રભાવ છે. જ્યારે આધુનિક પ્રયોગોમાં તે ચેતનતત્ત્વ પ્રત્યે કોમળતાનો કે અહિંસાનો વિકાસ નથી થતો.
માનવ પોતાના આત્માના શુદ્ધ અસ્તિત્વના અજ્ઞાન અને અસ્વીકારને કારણે અન્ય સૂક્ષ્મ જીવોનું અસ્તિત્વ સ્વીકારી શકતો નથી, કે અન્યના આત્માને પોતાના જેવું સુખ પ્રિય છે તેવું વિચારી શકતો નથી. તેના પરિણામે જગતમાં અનેક પ્રકારની પ્રયોગાત્મક અને ધંધાકીય મહા સંહારલીલા ચાલી રહી છે. કેવળ બુદ્ધિ પર રાચતા માનવે અણુશસ્ત્રો જેવી શોધ કરીને માનવને સદાય ભયમાં મૂક્યો છે. કતલખાના કરીને મૂંગાં નિર્દોષ પ્રાણીઓનાં જીવન હરી લીધાં છે. આ સઘળાં અમાનુષી કાર્યો માનવસર્જિત છે અને તે લીલાઓ ભારતભૂમિપર ખેલાય છે. પશુઓ, સૂક્ષ્મજીવો તો નિઃસહાય છે, પણ માનવની સંવેદનશીલતા મરી પરવારી છે? કોઈ બે-પાંચ માનવની કુબુદ્ધિનું ફલક પરંપરાએ કેવું વિસ્તૃત થતું જાય છે ! એવી ગર્તામાં ડૂબેલા માનવને સુખપ્રાપ્તિનો અધિકાર શું કુદરત આપશે ?
આવી સંક્રાંત પરિસ્થિતિમાં જે વિચારવાનો મનનું સુખ, શાંતિ અને સ્વાથ્ય શોધશે, પ્રાપ્ત કરશે તે અન્યને માર્ગ ચીંધશે. કુલેશિત કે વિકૃત મન દ્વારા માનવનો વ્યવહાર ઈર્ષા, અસૂયા, અંધ અનુકરણ, સ્પર્ધા વગેરે દૂષણો વડે ચાલતો હશે તો તે સ્વાર્થ અને મોહરૂપી અંધકાર જીવને સંસારરૂપી વનમાં રખડાવી મારશે. સ્વાર્થ અને સ્પર્ધા જેવાં દૂષણો સાથે માનવ સુખની શોધમાં નીકળ્યો છે તે કેવું આશ્ચર્ય છે ! તેને અગ્નિ વડે અગ્નિ ઠારવો છે. ઝેર પીને અમર થવું છે. આવા માનસિક દર્દથી પીડાતી વ્યક્તિઓની ધૂન પોતાનું, કુટુંબનું, સમાજનું, વિશ્વના કરોડો મનુષ્યોનું સુખ છીનવી લેવાના કારણભૂત બને છે. પોતાનાં અને અન્યનાં સાંસારિક સુખો માટે પણ અશુભવૃત્તિઓ, અસદ્ધાસનાઓને ત્યજી શુભવૃત્તિ અને શુભભાવ
૮૯