________________
કેળવવાની જરૂર પડે છે, તે પછી જીવને સાચા સુખની કંઈક સમજ અને ઝલક આવે છે અને તે પછી આગળની આધ્યાત્મિક દશામાં આત્મસુખ, પરમસુખની દશા ક્રમશઃ પ્રાપ્ત થાય છે. ૦ સાચા સુખનું ક્ષેત્ર :
અધ્યાત્મ એ સાચા સુખનું ક્ષેત્ર છે. અંતર્દષ્ટિ થયા વિના તે સમજાય તેવું નથી. દિશામૂઢતા કે મિથ્યાષ્ટિનો છેદ વડે થાય છે. તે દૃષ્ટિ માનવને પોતાના શુદ્ધ અસ્તિત્વનું ભાન કરાવે છે. બાહ્ય પદાર્થોમાં ભમતું મન મુક્ત થાય છે ત્યારે મનુષ્યનું અંતઃકરણ જાગે છે. મન દ્વારા આત્માનો અનુભવ કે આત્મસુખ પ્રાપ્ત થતાં નથી. અંતઃકરણ દ્વારા તેના અંશો પ્રાપ્ત થાય છે. અંતર્દૃષ્ટિ જાગતાં માનવજીવનમાં પરિવર્તનની એક અદ્ભુત “ચમત્કૃતિ સર્જાય છે. તે એ રીતે કે મિથ્યામતિ સમકિતી થાય છે. વાલીઓ લૂંટારો વાલ્મીકિ બની શકે છે. ત્યાં મનની ગુલામી અદૃશ્ય થતી જાય છે, સ્વચ્છંદતા ટળે છે અને સાધક સ્વાધીનતાનો આનંદ માણે છે. અહીં મનનું અલ્પાધિક મૃત્યુ થાય છે અને સાચા સુખનું કિરણ ફૂટે છે. ત્યારે ઈદ્રિયજન્ય સુખો ઝાંખાં લાગે છે.
અંતરંગ સુખને અનુભવતા સાધકની સ્પર્શઇંદ્રિયને કોમળ કે કઠણ સ્પર્શ મળો, રસનેન્દ્રિયને લૂખું મળો કે ચોપડેલું મળો, ધ્રાણેન્દ્રિયને સુગંધ મળો ચા દુર્ગધ મળો, નેત્રને સુરૂપ મળો કે કુરૂપ મળો, શ્રવણેન્દ્રિયને મીઠાં વેણ સાંભળવા મળો કે કડવાં વેણ સાંભળવા મળો; ત્યારે અંતઃકરણ કહે છે કે ચાલશે, ભાવશે, ગમશે અને ફાવશે. આવા અભ્યાસ વડે જીવ સમ્યગ્રભાવમાં આવે છે. ગૃહસ્થદશાવાળો સાધક પણ અન્યભાવથી વિરામ પામી આત્મભાવનું સુખ અંશે અનુભવે છે, અને તેવા ભવ્યાત્માઓ અંતે “જીવ મટી શિવ થાય છે,” પરમ સુખી થાય છે. • મનનું પૃથક્કરણ :
ધ્યાનની પ્રારંભિક કે મધ્યમ ભૂમિકાઓ દરમ્યાન દીર્ઘકાળની અસતુવાસનાઓ અને અશુદ્ધિઓ, મૌન, સ્થિરતા કે ધ્યાનના સમયે વિકલ્પોનો ભારે હુમલો કરે છે. જો કે સૂક્ષ્મ અને સ્થૂલ મનના તરંગો
૯૦