________________
સતત ઊઠે છે અને શમે છે, પરંતુ બહિર્મુખતા તે તરંગોને જાણી શકતી નથી. સાધક જ્યારે શાંત બેસીને મન પ્રત્યે દૃષ્ટિ કરે છે ત્યારે તે તરંગો તેના ખ્યાલમાં આવે છે. ચિત્તની એકાગ્રતા થવામાં ઘણો શ્રમ પડે છે, તેથી પ્રારંભમાં સાધક મૂંઝાય છે. કોઈક વાર થાકીને આ ક્રિયા ત્યજી દેવાનો વિચાર આવે, પરંતુ આવે સમયે ખરી ધીરજની જરૂર છે. જીવે પૂર્વે જે વાસનાઓ સેવી છે તે જયારે જવા માંડે છે ત્યારે મનબુદ્ધિને તે પસંદ પડતું નથી. દીર્ઘકાળની મિત્રતા છે ને ? તે વિકલ્પો અને વિચારો અજ્ઞાનદશામાં સેવેલા પુરાણા મિત્રો છે, એટલે મન નવરું પડે ત્યારે તે મિત્રતા કરવા દોડી આવે છે. ધીરજ વડે અને દેઢતાપૂર્વક તેને દૂર કરતા જવું અને આગળ વધવું.
મન એ વાહન છે :
દરેક સાધકને કસોટીમાંથી પસાર થવું પડે છે. સત્તાગત પડેલા સંસ્કારો અજાગ્રતકાળમાં ડોકિયું કરી લેશે. માટે શુભ અને શુદ્ધ વિચારોની વૃદ્ધિ કરતા જવું. આખરે મન એ સાધન છે, તેની શુદ્ધિ વડે જ અંતઃકરણ સુધી પહોંચાય છે.
અશુદ્ધ મન એ સંસારનું વાહન છે અને શુભ કે શુદ્ધ ધ્યાન એ આત્માનું વાહન છે. મન દ્વંદ્વોમાં જીવે છે, શુદ્ધ મન એકત્વમાં રહે છે. નિર્વિચાર ચેતના એ ધ્યાન છે. ધ્યાનની અનુભૂતિ, સજગતા, સાક્ષીત્ત્વ અને સમતા વડે સિદ્ધ થાય છે. સતત જાગૃતિ રહેવી દુર્લભ છે. કારણ કે જીવને પ્રમાદવશ જીવવાની આદત છે. જાગૃતિ વડે આદતો છૂટતી જાય છે. સાધકને પ્રારબ્ધયોગે બહારમાં વ્યસ્ત રહેવું પડે તો સજગતા વિશેષપણે રાખવી પડે છે. અંતર્મુખ વ્યક્તિને સાક્ષીત્વ સહજ હોય છે.
જીવનમાં મૌન કે ધ્યાનની શી આવશ્યકતા છે એવો પ્રશ્ન થાય ત્યારે વિચારવું કે જીવન શા માટે છે ? આપણી પાસે તેનો ભાગ્યે જ જવાબ હોય છે. અને છે તો ધન, સંપત્તિ મેળવવા, પરિવાર અને સમૃદ્ધિ વધારવા, ઈચ્છાઓ અને આકાંક્ષાઓ પૂરી કરવા એ છે. આનાથી વિશેષ પ્રત્યુત્તર માણસ પાસે ભાગ્યે જ હોય છે. ધ્યાનથી સંપત્તિ મળે, નોકરી મળે, સુંદર પદાર્થો મળે તે ઈષ્ટ નથી. જીવ જગતમાં જે કંઈ કરે છે તે સુખ કે શાંતિ માટે કરે છે, પરંતુ તેમાં
૯૧