SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્દોષતા ન હોવાથી સુખની પાછળ દુઃખ આવી મળે છે અને શાંતિની શોધમાં નીકળેલો માનવ અશાંતિમાં ઘેરાઈ જાય છે. કારણ કે એ અશાંત મનના વાહન પર વિરાજમાન થઈને શાંતિ શોધે છે. માનવ શાંતિ ઈચ્છે છે પણ અશાંતિનાં કારણો તે ત્યજી શકતો નથી. સમ્રાટ સિકંદરે એક વાર એક ફકીરને પૂછયું કે તમારા જેવી સુખ-શાંતિ મને કેમ મળે ? ફકીરે કહ્યું કે તું ક્યારે ઈચ્છે છે? સિકંદર: “થોડી પૃથ્વી બાકી છે તે જીતી લઉં પછી યુદ્ધવિરામ કરી શાંતિથી જીવવા ધારું છું.” ફકીરઃ “થોડી પૃથ્વી પ્રાપ્ત કર્યા પછી પણ જો તું શાંતિ ચાહે છે તો તે પહેલાં શું વાંધો છે? વળી તે પૃથ્વી મેળવતાં કેટલાય સમય જશે? પણ જો તારે આજે મારા જેવી શાંતિ જોઈતી હોય તો એક મિનિટનું જ કામ છે. મારી પાસે બીજી લંગોટી છે. તારાં રાજાપાઠનાં વસ્ત્રો અને શસ્ત્રો ત્યજીને લંગોટી પહેરીને મારી ઝૂંપડીમાં આવી જા. અહીં શાંતિ અને સુખ છે. સિકંદરે શું જવાબ આપ્યો? જે આપણા સૌ પાસે છે તે જવાબઅત્યારે નહિ, પછી; આજે નહિ, કાલે. મન કાણા પાત્ર જેવું છે. ગમે તેટલી તૃષ્ણાથી ભરો પણ ખાલી ને ખાલી રહે છે. ધ્યાન આ મનને દેશનિકાલ કરે છે. તંદ્રનાં કારણોને ટક્વા જ દેતું નથી મનનું મૃત્યુ એટલે મન જેના વડે જીવિત છે તે મોહમૂઢતાની અંતિમ ક્રિયા છે. • મોક્ષમાર્ગની દીપિકા-મનશુદ્ધિ : શ્રી હેમચંદ્રાચાર્ય રચિત યોગશાસ્ત્રમાં મનશુદ્ધિ વિષે કથન છે કે, વિદ્વાન પુરુષોએ એક મનશુદ્ધિને જ મોક્ષમાર્ગ દેખાડનારી દીપિકા કહી છે. જો મનશુદ્ધિ વિદ્યમાન હોય તો અવિધમાન ગુણો પણ આવી મળે છે અને ગુણો હોય છતાં મનશુદ્ધિ ન હોય તો તે ગુણો આવરિત રહે છે. માટે મનશુદ્ધિ અવશ્ય કરવી. મનશુદ્ધિને ધારણ કર્યા સિવાય જેઓ મોક્ષ મેળવવા તપશ્ચર્યા કરે છે તેઓ પોતાને મળેલી નાવનો ત્યાગ કરીને ભૂજાઓ વડે મહાન સમુદ્ર તરવાને ઈચ્છે છે. આંધળા માણસને દર્પણ દેખાડવું જેમ નિરર્થક છે, તેમ મનની શુદ્ધિ થયા વગર તપસ્વીનું ધ્યાન ૯૨
SR No.005926
Book TitleDhyan Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDeepakbhai & Dharmiben Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy