________________
નિરર્થક છે. તે શુદ્ધિ સિવાય તપ, શ્રુત, પાંચ મહાવ્રતાદિ, કાયકલેશ, સંસાર વધારવાના કારણ જેવાં છે. મનશુદ્ધિ માટે રાગદ્વેષનો વિજય કરવો, જેથી આત્મા નિજ સ્વરૂપમાં સ્થિર થઈ શકે. ♦ મનઃશુદ્ધિની ફળશ્રુતિ :
અંતરદષ્ટિયુક્ત સાધકે ચૈતન્ય-વિકાસને અનુરૂપ જ પ્રસંગોમાં અને સ્થાનોમાં રહેવું ઉચિત છે. ગૃહસ્થને નિર્વાહનું પ્રારબ્ધ હોય તોપણ તેણે નિવૃત્તિનો સમય રાખવો જોઈએ; કારણ કે હજી પૂર્ણ વિકાસ થયો નથી. ઈમારત કાચી હોય ત્યારે તેને મજબૂત કરવાનાં સાધનો યોજવાં જોઈએ, તેમ ચિત્તદશાને વિશેષપણે સ્થિર થવા સુધી તેને પોષક તત્ત્વોની આવશ્યકતા રહે છે. આવા પ્રયત્નથી મન શાંત, સંતોષી અને સ્વસ્થ બને છે, ત્યારે તેનો બાહ્ય વ્યવહાર શુદ્ધ થાય છે, જીવનનાં મૂલ્યો પરિવર્તિત થઈ જાય છે. તે વ્યક્તિ પોતાના સુખમાં રાચતી નથી. અન્યનું સુખ તેના ધ્યાનમાં છે. પોતાથી કોઈ દુ:ખી ન થાય તેની સભાનતા રાખીને આજીવિકાદિ પ્રયોજન રાખે છે, પોતે કષ્ટ સહીને પણ અન્યનું સુખ ઈચ્છે છે.
વ્યવહારની કે જીવનની શુદ્ધિ વગર કેવળ કોરી આત્મશુદ્ધિની વાત કરવી મનોરંજન છે, શુષ્કજ્ઞાન છે. વ્યવહારશુદ્ધિ, આત્મશુદ્ધિને સહાયક વસ્તુ છે અને આત્મશુદ્ધિનું બળ વ્યવહારને શુદ્ધ રાખે છે. બંને માનવજીવનનાં મહાપ્રાણતત્ત્વો છે. માનવ બે પગ વડે ચાલે છે તેમ તેનું મનુષ્યત્વ આ બે અંગો વડે વિકાસ પામે છે. બંને પાસાંની શુદ્ધિ વગર માનવ, ધર્મ પામતો નથી. તે કેવળ વ્યવહારશુદ્ધિવાળો સદાચારી હશે; પરંતુ સાથે આત્મશુદ્ધિ હશે તો તેની આધ્યાત્મિકતા અંતરબાહ્ય બંને પ્રકારે પ્રગટ થશે.
સાચી અંતરદૃષ્ટિમાં શુદ્ધતાના અંશો છે, તેથી જીવનના પ્રશ્નોનું સમાધાન સહજ બને છે, વળી સ્વાર્થ અને મોહજનિત અભિપ્રાયો અને પ્રતિક્રિયાથી મુક્ત અંતઃચેતના સક્રિય બને છે. તે મુક્ત ચેતનાનો ઉપયોગ-વર્તના આત્મજ્ઞાન પ્રાપ્તિનો અણસાર આપે છે. તે જ્ઞાન વડે પદાર્થને જાણે, પણ તે પદાર્થ વિષેનાં ક્લેશિત પરિણામો ચિત્ત પર ઊપજતાં નથી કે તાદાત્મ્ય થતું નથી. આવશ્યકતા પૂરતો જ પદાર્થો
૯૩