________________
પ્રત્યે ઉપયોગ જાય છે. આંતરદૃષ્ટિ કર્મધારાને પાછી વાળે છે, તોડે છે. કદાચ નિમિત્ત મળતાં કષાય ઉત્પન્ન થાય તેવાં પરિણામો સૂમપણે રહ્યાં હોય ત્યારે પણ આ અતં ચેતના તે પરિણામોરૂપ થતી નથી, પણ સાક્ષીત્વને ટકાવે છે. તે મનઃશુદ્ધિનું સાફલ્ય છે.
એક આત્માને જાણવાથી જગતના સઘળા પદાર્થો સહજપણે સમજાય છે તે વાતને વિસરીને તે આત્મભ્રાંતિ સેવે છે. બાહ્ય પદાર્થોને મન ઈદ્રિયો દ્વારા તે જુએ છે. આત્મા ઈદ્રિયોથી જણાય તેમ નથી. સૂક્ષ્મ ઉપયોગ-વિચારથી આત્માનો તેના ગુણો વડે પ્રથમ પરિચય થાય છે.
પંચમકાળનું પરિબળ કેવું ફાવ્યું છે? મોટા ભાગનો જનસમૂહ આત્મતત્ત્વને શોધવા મંદિર, મસ્જિદ, મઠ, પહાડ, ગુફા, સરિતા, શાસ્ત્ર જેવાં અનેક બાહ્ય સાધનો કે જે નિમિત્તરૂપ પ્રાથમિક અવલંબન છે, તેને જ સાધ્ય માની ત્યાં રોકાઈ રહે છે. જેને તે શોધે છે તે આત્મતત્ત્વ સ્વયં પોતે છે. અતિ નિકટ છે તેવું ભાન થવા માટે ધ્યાન એ મુખ્ય સાધન છે. પ્રારંભની ભૂમિકાઓ આત્માના પરિચય માટે મનશુદ્ધિ થયે સ્વનિરીક્ષણ કરી ઉપયોગમાં સૂક્ષ્મતા લાવવી જરૂરી છે. તે માટે પોતાના નિવાસે કે અન્ય યોગ્ય સ્થળે એકાંતે સ્વનિરીક્ષણ કરવું અને મનની ગતિને તથા વૃત્તિને સહજપણે નિહાળવી.
એકાંતમાં આસનસ્થ થઈ, બહાર જતી તમામ વૃત્તિઓને સંક્ષેપી, કેવળ મનની ગતિ, વિકલ્પ અને વિચારનું સાક્ષીભાવે, તટસ્થપણે, નિરીક્ષણ-અવલોકન કરવું. તેમાં કોઈ ભૂતકાળની સ્મૃતિ કે સંસ્કાર, અથવા ભાવિની કલ્પનાઓ ભેળવવી નહિ. જેમ કે ભૂતકાળમાં અમુક વ્યક્તિએ મારી સાથે અમુક વર્તન કર્યું હતું. તે કડવું હતું કે મીઠું હતું. હવે તે વ્યક્તિ મળશે તો હું આમ કહીશ અને આમ કરીશ; અથવા મારે ભવિષ્યમાં અમુક બનવું છે, થવું છે, વગેરે સ્મૃત્તિઓ અને કલ્પનાઓ ઊઠે તો તેને સહજપણે જાણવી, પણ તેમાં તદાકાર થઈ વિચારને લંબાવવો નહિ. જાણીને આત્માભિમુખ થઈ તેને ત્યજી દેવો. પ્રારંભમાં થોડી કઠિનતા લાગશે, પરંતુ અભ્યાસ વડે સહજ થશે.
જેમ જેમ નિરીક્ષણમાં-અવલોકનમાં સૂક્ષ્મતા આવશે તેમ તેમ અભ્યાસ વડે નિરીક્ષણ સમયે સાક્ષીત્વ રહેશે. વિચારો-વિકલ્પો શ્વાસની
૯૪