SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ જેમ આવશે અને જશે, પણ વૃત્તિ તેની સાથે સંલગ્ન નહિ થાય તો તે કશો સંસ્કાર છોડશે નહિ. કર્તા-ભોક્તાભાવ શાંત થતો જશે, કારણ કે ત્યાં ઉપયોગની સાવધાનતા છે, છતાં અલ્પકાલીન અભ્યાસ હોવાથી સાક્ષીત્વનું સાતત્ય ટકતું નથી; જતું રહે અને આવે એમ વારંવાર બન્યા કરે છે. માટે આત્મશ્રદ્ધાપૂર્વક આત્માના જ પરિચય માટે આત્મલક્ષે દૃઢ પુરુષાર્થ કરતા રહેવું. સ્વનિરીક્ષણ એ અંતરંગ ક્રિયા છે ઃ મનઃશુદ્ધિ પછી સ્વનિરીક્ષણ ઘણું સરળ બને છે. છતાં પૂર્વ સંસ્કારો સાધકને વિવશ બનાવે છે. આ સાધનામાં શું પ્રાપ્ત થશે ? કોઈ લબ્ધિ, સિદ્ધિ કે અવનવું થશે કે નહિ ? આવું મંથન જાગે છે. સાધકે એક વાત સમજી લેવા જેવી છે કે મનશુદ્ધિ અને સ્વ-નિરીક્ષણ દ્વારા આત્મપરિચય સાધવાનો છે. આ કોઈ સેવકમાંથી સ્વામી થઈ જવાની વાત નથી. અંતરપરિવર્તનની આ અંતરંગ ક્રિયા છે. આ માર્ગમાં આગળ વધેલા સાધકની આંતરબાહ્ય ક્રિયામાં એક સમતુલા આવે છે. મિથ્યા સમતારૂપ આંતરબાહ્ય ભેદ રહેતો નથી. જેવું અંતરંગ છે તેવું બાહ્ય વર્તન થઈ રહે છે અર્થાત્ વ્યવહાર અને વાણીનું સામ્ય પ્રગટે છે. વિવેકી મન જીવન શુદ્ધિને ભોગે ભૌતિક સુખની પ્રાપ્તિ ચાહે નહિ, ધનાદિની જરૂર અપેક્ષિત છે. ગૃહસ્થ સાધકને જીવનનિર્વાહ ચલાવવાનો છે, તેથી ધનપ્રાપ્તિ કરે પણ ધનનો સમ્યગ્ ઉપયોગ કરી જાણે છે, તેથી આસક્તિ રહિત, ઉપાર્જન કરી લે છે. શરીરનિર્વાહ માટે આહારની ઉપયોગિતા સમજે છે, પ્રાયે સ્વાદ માટે આહાર ન લે, ખાવા માટે જીવવાનું નથી તેમ સમજે છે, ક્ષુધા શરીરની પ્રાકૃતદશા છે, સ્વાદ તે દેહાધ્યાસ છે, તેમ નિશ્ચય છે. પદાર્થને જોવો તે ચેતનાનું લક્ષણ છે, ક્ષુધાને તે જાણે પણ દુ:ખી ન થાય. દુ:ખી થાય છે તે ‘હું’ છું, પણ આ દેહભાવ છે. તટસ્થ નિરીક્ષક આમ બધું જુએ છે, જાણે છે, પણ પદાર્થાકાર થઈ જતો નથી. વિચારોને દૂર કરે છે અથવા ખસી જવા દે છે. તેમાં તે હર્ષવિષાદ કરતો નથી. “મનની કામના સર્વે છોડીને આત્મામાં જ જે; રહે સંતુષ્ટ આત્માથી મુનિ તે સ્થિરબુદ્ધિનો.' - શ્રી ભગવદ્ગીતા, ગુજરાતી અનુવાદ. નિરીક્ષણ વડે મનની ચંચળતા શમે છે. સામાન્ય રીતે તેને ૯૫
SR No.005926
Book TitleDhyan Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDeepakbhai & Dharmiben Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy