SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ પવનવેગી કહ્યું છે. તેને જીતવું દુર્લભ મનાયું છે. આત્મજ્ઞાન તેને જીતવાનો સાચો ઉપાય છે. સામાન્ય રીતે એક વિચાર પર પણ તે ટકતું નથી. માણસ જમતો હોય ત્યારે વ્યાપારના વિચાર આવે, ફરવા નીકળે ત્યારે બાહ્ય દશ્યોનો કાજી થઈને ફરે. વ્યાપાર કરતાં ઘરની સ્મૃતિ સતાવે અને ધર્મક્રિયા કરવા બેસે ત્યારે તો આખી દુનિયાનો ભાર તેના માથે આવે. આમ વિચારો-વિકલ્પોની હારમાળા ચાલ્યા કરે છે અને વિચારોની અરાજકતા માનવને હતબુદ્ધિ બનાવે છે, યંત્રવત્ બનાવે છે. આ સ્થિતિમાં એકાંત અને સ્વનિરીક્ષણની સાધના આત્માની ક્ષમતા વધારે છે. સામાન્ય સંસારી જીવનું જીવન સ્વાર્થપરાયણ હોય છે અને તેથી નિરીક્ષણમાં કઠિનતા રહે છે અને વિવેકપૂર્ણ સાધના બનતી નથી. આવા જીવો ધર્મક્રિયાના અનુસંધાને કંઈક નિયમો લે તોપણ મન શાંત ન થાય. સાચી સમજ વડે, બોધ વડે અને અભ્યાસ વડે, ક્રમ કરીને મન શાંત થાય છે. જ્ઞાની પુરુષોએ મનને પોતાને આધીન કર્યું છે. એક આત્મતત્ત્વની લય લાગે તો મનનું શમન સહજ બને છે. વિષયારસ વિષ સરિખો લાગે ચેન પડે નહિ સંસારે જીવન મરણ પણ સરખું લાગે, આતમ પદ ચિન્હે ત્યારે. - શ્રી બુદ્ધિસાગરજી કૃત અલખ નિરંજન આતમજ્યોતિ આવાં પદો વડે પણ સ્વનિરીક્ષણના પાઠો શીખવાનું બને છે. આ પદો પોતાની જાત તપાસવાનાં માપકયંત્રો છે. શું વિષ અને શું અમૃત તેનું ભાન કરાવે છે. • પક્ષપાતી મનનું નિરીક્ષણ કેવું હોય છે ? સામાન્ય રીતે માનવ ચર્મચક્ષુ દ્વારા એટલે કે પૂર્વના અસત્ સંસ્કાર દ્વારા જગતના પદાર્થોને નિહાળે છે. અહીં સાધકે અંતરચક્ષુ વડે અંતરને નિહાળવાનું છે. સામાન્ય માનવને આવા નિરીક્ષણની ભૂમિકા જ હોતી નથી અને તેથી તે અન્યનું નિરીક્ષણ અને પરીક્ષણ કરશે, અન્યના દોષો જોશે, લઘુતા-ગુરુતા ગ્રંથિથી પીડાશે, પણ પોતાની જાતનું નિરીક્ષણ નહિ કરે. કેવળ કલ્પનાઓ કરશે કે હું કેવો ગુણવાન, કીર્તિવાને, ધનવાન, રૂપવાન કે બળવાન છું; અથવા જે સાધનસંપત્તિ ૯૬
SR No.005926
Book TitleDhyan Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDeepakbhai & Dharmiben Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy