________________
રહિત હશે તે વિચારશે કે હું જગતમાં સૌથી દુઃખી, હતભાગી, રોગી કે નબળો છું. તેથી ધર્મક્ષેત્રમાં જશે તો ત્યાં હું કેવો ત્યાગી, દાની, ધર્મ કે સંયમી છું તેમ વિચારશે. આમ સર્વ પરિસ્થિતિમાં હું ઊભો રહે છે, ત્યાં અપક્ષપાતી નિરીક્ષણ થતું નથી. ધ્યાનમાર્ગમાં આવું નિરીક્ષણ ગ્રાહ્ય નથી. પોતાની જાતને જેવી છે તેવી નિર્વસ્ત્રપણે જોવી. સ્વબચાવ રહિત, ગુણોને સહીને, દોષોનો છેદ કરીને જોવી તેબિનપક્ષપાતી કે સાચું નિરીક્ષણ છે. બાકી પોતાની આત્મવંચના છે.
જ્યાં સુધી સૂક્ષ્મ કે સ્થૂલ મન કલેશિત કે કલુષિત છે ત્યાં સુધી જે કંઈ સ્વ-પરનું નિરીક્ષણ થશે તે મલિન હશે પક્ષપાતી મન ચિત્તની સ્થિરતા માટે અવરોધરૂપ બનશે. મલિન મનમાં વિકલ્પોની મહાજાળ વ્યાપેલી હોય છે, તેમાંથી ગમો-અણગમો, સ્વીકાર-અસ્વીકાર, સારુંમાઠું, અભાવ-સર્ભાવ, સુખ-દુઃખ જેવી કંલાત્મક પ્રતિક્રિયાઓ ઊઠતી રહેશે, પ્રતિક્રિયાવશ મન કોઈ પ્રકારે સત્ય કે તટસ્થ તપાસ કરી નહિ શકે. નિરીક્ષણને સ્થાને તે પ્રતિક્રિયાઓ વડે કોઈ પણ પરિસ્થિતિમાં, સંબંધોમાં, વ્યાપારમાં કે વ્યવહારમાં સુખદુઃખની લાગણીઓ કે ઉત્તેજના અનુભવશે અને આકુળ-વ્યાકુળ થયા કરશે. જ્યાં સુધી વસ્તુધર્મની, કર્મ જેવા સનાતન સિદ્ધાંતની સમજ નહિ કેળવે ત્યાં સુધી તે પોતાની જાતને સમજી શકશે નહિ અને ભ્રમમુક્ત થશે નહિ. કહ્યું છે કે :
ભ્રાંતિ ટાળવી એ મુક્ત થવાનો મુખ્ય ઉપાય છે. સ્વજ્ઞાન, સ્વનિરીક્ષણ, વિચાર અને ધ્યાન તેનાં અંગો છે. આ કાળમાં ગુરુઆજ્ઞા અને પ્રભુપદની યથાર્થતા પ્રાપ્ત થાય અને સમજાય તો ભ્રાંતિ સહેજે ટળે. પણ વિવેકરહિત માનવ પ્રતિક્રિયામાં જ સતત જીવે છે, કોઈ દ્વારા થયેલું માન-અપમાન, પ્રીતિ-અપ્રીતિ જેવા ભાવો આપણા
સ્મૃતિપટ પર અંકાઈ જાય છે. તે નિમિત્ત મળતાં કે સ્મરણ થતાં આપણે સુખદુઃખની લાગણીઓમાં ધકેલાઈ જઈએ છીએ અને દોષ આપી વૃત્તિને વળ ચઢાવીએ છીએ, આ સ્વબચાવ કે ઉન્માર્ગ છે. ૦ દેહાદિના વિસ્તારથી આત્મવિસ્મૃતિ થઈ છે ?
દેહ અને મન અન્યોન્યથી પ્રભાવિત થતાં રહે છે. બાહ્ય મન