________________
સ્થૂલ છે. ચિત્તને સૂક્ષ્મ મન કહીશું. ચિત્ત મન કરતાં ઉપરની ભૂમિકાએ છે. સંવેદનશીલ છે. મનના પ્રકારો સ્મૃતિ, બુદ્ધિ, સંકલ્પ, વિકલ્પ, વિચાર ઈત્યાદિ છે. ચિત્ત એ ચેતનાનું સૂક્ષ્મ પરિણમન છે. સંસ્કારવશ ચિત્તમાં ઊઠતી પર્યાયો-પરિણતિ, પદાર્થના આકર્ષણથી તે તે પદાર્થરૂપે થાય છે અર્થાત્ તેવી માન્યતા થાય છે. આમ વિવશતા અને વિભાવભાવોથી ચિત્તના પરિણામો ચંચળ થયા કરે છે. આત્માનું મૂળ દ્રવ્ય (દશા) આવાં વિભાવ-પરિણામોથી મુક્ત છે. આત્માનું લક્ષણ ચેતના છે, તેના બે ઉપયોગ છે. દર્શન(જોવું) અને જ્ઞાન (જાણવું). આ ઉપયોગ મન કે ચિત્ત દ્વારા વહન થાય છે. આત્મા, મૂળ દૃષ્ટિએ જોતાં, એક શુદ્ધ અસ્તિત્વ છે. ઉપયોગ પરિણામ એ તેની અભિવ્યક્તિ છે, વિભાવજનિત ભાવો વડે મૂળ આત્મદ્રવ્યની વિસ્મૃતિ થઈ છે, એટલે વિકારી દશા થાય છે. ' આત્માએ માનવદેહ ધારણ કર્યો, રૂપ ધારણ કર્યું તેને નામ મળ્યું. પછી એ નામધારી તે “હું તેવી માન્યતા પાકી થઈ ગઈ અને દેહનું ફલક વિસ્તરતું ગયું. એના નામને કોઈ મહત્ત્વ આપે કે માન આપે તો ગમે છે, અને અપમાન થાય તો એકલો બેઠો પણ તે દુઃખ અનુભવે છે. એક નામને બચાવવા, વિસ્તારવા, મોટું ગણાવવા એ કેટલો મોટો ભોગ આપે છે. તે આત્મધન લૂંટાવી દે છે. આવો જડ અને ચેતનનો એક ખેલ દીર્ઘકાળથી ચાલ્યા જ કરે છે.
આ દેહના નામ સાથે જોડાયેલા ધન, ધાન્ય, પરિવાર, વ્યાપાર, વ્યવહાર સૌમાં પોતાપણું એવું દઢ થયું છે કે તે મૃત્યુ કે અસાધ્ય રોગ જેવા પ્રસંગોને નિહાળે છે છતાં પોતે તો નિર્ભય થઈ ફરે છે.
દેહના આવા વિસ્તાર અને અધ્યાસથી ગ્રસિત મન જયારે નિરીક્ષણ કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે પ્રારંભમાં તે તત્ત્વો તુમુલ યુદ્ધ કરશે. ક્યારેક નહિ જોયેલી એવી આહાર, કામ, આકાંક્ષા જેવી વૃત્તિઓ વેગ પકડશે. ચિત્રવિચિત્ર કલ્પનાઓ ઊભી કરશે. ત્યારે ખૂબ ધીરજપૂર્વક સાહસિક બની તે વૃત્તિઓને શાંતિથી એક ધક્કો મારવો અને પછી મિત્રભાવે તેમને વિદાય આપવી. સંતના સમાગમમાં રહેવું.
૯૮