SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૦ તટસ્થ-અપક્ષપાતી નિરીક્ષણ કેવું હશે ? તટસ્થ કે અપક્ષપાતી નિરીક્ષણમાં નિર્દોષતા, નિર્મળતા અને નિષ્કપટતા ફલિત થાય છે. મણ પાયેલી દોરી જેમ ગૂંચવાતી નથી તેમ નિર્દોષતા આદિ ગુણો જીવનમાં વળ ચઢવા દેતા નથી. નિર્દોષ જીવન, નિર્દોષ વ્યવહાર, તે નિરીક્ષકના અપક્ષપાતી નિરીક્ષણનું પરિણામ છે. ભગવાન મહાવીરસ્વામીએ સાડા બાર વર્ષના મૌનના કાળમાં કેવું નિરીક્ષણ-પરીક્ષણ કર્યું હશે કે અંતે એક પણ વૃત્તિ ટકવા જ ન પામી. સર્વભાવો આત્યંતિકપણે ખરી પડયા અને પૂર્ણજ્ઞાન પ્રગટ થયું. મનોજયી હોવા છતાં પ્રભુએ એકાંત મૌન દ્વારા અંતર-સાધનાનું મહાન તત્ત્વ આપ્યું છે. આત્મા અને પરમાત્માની (નિજરૂપ સ્વરૂપની) વચમાં મન (પૂર્વસંસ્કાર-પૂર્વક) એ એક રેખા છે. મન જો શુદ્ધ થાય તો તે, મન મટીને અંતરાત્મા થાય છે; અને અંતરાત્માની પરમશુદ્ધતા તે પરમાત્મપદ છે. મનશુધ્ધિ માટે મનનું પરીક્ષણ પણ ખૂબ જરૂરી છે. નિરીક્ષણમાં તટસ્થતા અને પરીક્ષણમાં સજગતા જરૂરી છે. રાગાદિભાવો પળેપળે વર્તતા રહે, ચિંતનધારામાં વિક્ષેપ કરતા રહે, ભૂતકાળની સ્મૃતિઓ સતાવે કે ભાવિ કલ્પનાઓ પરિણામોને દૂર-સુદૂર લઈ જાય, ત્યારે પરીક્ષણ કરીને તેનાથી મુક્ત થવું. પૂર્વના સંસ્કારો અને આ જન્મના ગૃહિત સંસ્કારો બળવત્તર થાય ત્યારે મનને એકવાર જે પદાર્થ સચ્ચા હોય છે તેની માંગ તે વારંવાર કર્યા જ કરશે. તે માંગને વિવશ થવું તે આસક્તિ છે; છતાં નિરીક્ષણ અને પરીક્ષણના બળે, પૂર્વ આરાધનના સુસંસ્કારો વડે વિવેકપૂર્વક સાધક, પરાધીન દશામાંથી પાછો વળે છે. તેમ છતાં કોઈ વાર વિવશતા જોર કરી જાય ત્યારે આદ્રભાવે શ્રી આનંદઘનજીના કે અન્ય પદનું અનુસંધાન કરી પરમાત્માને પ્રાર્થના કરવી કે હે પ્રભુ! તમે જેમ તમારું મન વશ કર્યું તેમ મારું મન કરો, જેથી હું તેના સત્યને માણી શકું. • સ્વનિરીક્ષણની વિશાળતા અને સફળતા : મન એ અનાદિકાળના-ભૂતકાળના શુભાશુભ સંસ્કારોનો પુંજ ૯૯
SR No.005926
Book TitleDhyan Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDeepakbhai & Dharmiben Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy