________________
છે, મોટું સંગ્રહસ્થાન છે. તેમાંથી અનેક પ્રકારના સંસ્કારોને તે વહેતા મૂકે છે. પોતાનું મન હોવા છતાં માનવ જવલ્લે જ તેનાથી પરિચિત હોય છે. હું કંઈ જાણું છું, સમજું છું એમ પ્રસંગોપાત્ત એ કહે છે ત્યારે પણ તેમાં સંસ્કારરૂપ આવેગોનું તે પરિણામ હોય છે. વિવેકસહિત તટસ્થભાવે જો સૂક્ષ્મ અવલોકન કરીએ તો મનને સાચી રીતે સમજી શકાય છે.
તીવ્ર ક્રોધ-કપટ જેવા અશુદ્ધ ભાવોથી આવરિત, પ્રપંચોથી કે ગૂંચવણોથી ભરેલું મન ધ્યાન જેવા અવલંબનમાં ગોઠવાતું જ નથી. મનને સમજતાં પહેલાં સ્વજ્ઞાન અને સ્વરૂપના રહસ્યનો, અનુભવી જ્ઞાની પાસે અભ્યાસ કરવો. જેથી સ્વનિરીક્ષણ સમયે મનની પૂર્વ સંસ્કારજન્ય વૃત્તિઓ શાંત રહે અને તેની જગ્યાએ સ્વજ્ઞાનનું વિચારબળ પ્રવર્તે. તથા મનને જાગ્રત રહેવાનો અભ્યાસ વધે. તે પછી તેમાંથી ઘણા ગુણો પ્રગટ થતા રહેશે.
જ્ઞાની મહાત્માની નિશ્રામાં કે એકાંતે, દર્શાવેલ આત્માના ગુણોનો ક્રમ કેળવાય છે તે સ્વનિરીક્ષણ અને પરીક્ષણનું સાફલ્ય છે. માનવ જાગ્રત થઈ જાય છે કે મારો જન્મ શા માટે છે ? તે દરેક ક્રિયામાં સાવધાનપણે વર્તે છે. વળી એકાંતમાં સ્થિરતાપૂર્વક સ્વનિરીક્ષણ કરતો રહે છે. અને બાહ્ય સંયોગોમાં (વ્યવહારમાં) જાગ્રત રહી વૃત્તિઓને નીરખતો રહે છે. આવી સહજ નિર્મળતા અને નિર્દોષતાનું ઝરણું મૈત્રી આદિ ભાવો રૂપે પરિણમે છે.
સ્વજ્ઞાન-આત્મજ્ઞાન એટલે તેમાં શાશ્વત અસ્તિત્વની શ્રદ્ધા, પ્રતીતિ, નિઃશંકતા અને નિર્ભયતા હોય છે. તે જાણે છે કે ચરમચક્ષુ વડે થતું જગતનું દર્શન તે માહિતી છે, તે નિર્દોષ હોય જ તેવું નથી. તે પદાર્થોમાં સુખબુદ્ધિ તે અજ્ઞાન છે. અજ્ઞાનને અજ્ઞાન સમજવું તે વિવેક છે. વિવેક થયા પછી શેષ રહેતો અનુભવ તે જ્ઞાન છે.
૧૦૦