________________
અપ્રમત્ત દશાવાન મુનિજનો ધ્યાતા, ધ્યાન અને ધ્યેયનું એકત્વ અનુભવે છે, અને ત્યાં કેવળ નિજાનંદમાં વર્તે છે. તેનું વર્ણન જ્ઞાનીઓ પણ કરી શકયા નથી, તે સહજાવસ્થા છે, જ્ઞાનીગમ્ય છે.
“જે પદ શ્રી સર્વ દીઠું જ્ઞાનમાં હી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો, તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન છે.”
-શ્રીમદ્ રાજચંદ્રકૃત અપૂર્વ અવસર, ગાથા ૨૦ જગતના નૈસર્ગિક ક્રમમાં તિથી અનુસાર જેમ પ્રકાશની તરતમતા વધે છે; આગળ ઉલ્લેખ કર્યો છે તેમ, બીજનો ચંદ્ર ક્રમે ક્રમે પૂનમનો ચંદ્ર થાય છે, તો પણ તે બીજના પ્રકાશને પ્રકાશ કહીએ છીએ, અંધકાર કહેતા નથી. ધ્યાનમાર્ગે દીર્ઘકાલીન ચિત્તની સ્થિરતાની ક્ષણમાં સ્વરૂપદર્શનની ઝાંખી થાય છે તે બીજના પ્રકાશ સમાન છે. નિર્મળ ચારિત્ર વડે અને અભ્યાસ વડે આત્મા ક્રમે ક્રમે પૂર્ણ વિકાસ પામે છે પ્રારંભનું આ દર્શન અંતમાં પૂનમના ચંદ્રની માફક પૂર્ણ અને શાશ્વત બની જાય છે.
શ્રીમદ્ આનંદઘનજી અને ચિદાનંદજી જેવા યોગીજનોને પૂર્વ આરાધનાને બળે ધ્યાનદશાનો ઉદય થયો, તે પછી તેના પૂર્ણ અનુભવ માટે તેઓએ ઘણું મૂલ્ય ચૂકવ્યું. લબ્ધિ આદિનો મોહ ત્યજી તેમણે આત્મસંશોધનને પૂર્ણ અવકાશ આપ્યો, સહજ દશા પ્રાપ્ત થયે કયારેક કેવળ જનકલ્યાણ માટે તેઓ ઉપદેશ કે લેખનની પ્રવૃત્તિ કરતા, અને વળી ધ્યાનદશામાં સ્થિર થતા. ધ્યાનનું આવું અલૌકિક સામર્થ્ય છે. તેનું પરિશીલન કરવું તે જીવનની ધન્ય પળો છે તેમ સમજવું અને આ માર્ગમાં ઉલ્લાસિત થઈ આગળ વધવું. આત્મદશાની ઉજ્જવળતા :
સંસારનાં સાધનોમાં સુખબુદ્ધિ થતી રહે કે સાધનોનો વિસ્તાર થતો રહે, અને સહજ ધ્યાનદશાની ઉપલબ્ધિ થાય તેવી આ માર્ગમાં વ્યવસ્થા નથી. અપવાદરૂપ કોઈ જ્ઞાની-ગૃહસ્થનાં દૃષ્ટાંતો લઈ માયાથી છેતરાવું નહિ. સામાન્ય સાધકે તો અનુભવી જ્ઞાનીજનોના પ્રતિપાદિત
४८