SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ માર્ગનું પદ્ધતિસર આરાધન કરવું. વ્યસ્ત સાધકે પોતાના નિવાસમાં પણ એકાંતસેવન સાથે સાધના કરવી, અવકાશ મળે પવિત્ર સ્થળોમાં જ્ઞાનીની નિશ્રામાં રહેવું. સામાન્ય રીતે ગૃહસ્થ ભવ્યાત્મા રુચિવંત હોય તો ઉદાસીનતા આવ્યે સંસાર પ્રત્યેની સુખબુદ્ધિ શમતી જાય છે. તેવા ભવ્યાત્માઓ ગૃહમાં કે વ્યાપારમાં રહે તોય શકય તેટલી જાગૃતિ રાખે છે, અને નિવૃત્તિ મેળવી અંતર્મુખ થવાનું લક્ષ રાખે છે. બાહ્ય જગતના પરિચયનો સંક્ષેપ કરી નિરહંકારીપણે અલ્પારંભી થઈ વર્તે છે. નિત્ય નિત્ય આત્મદશાને ઉજ્જવળ કરતા થકા તેઓ કઠિન ઉપદ્રવોને સહન કરી લે છે. પરમતત્ત્વને પ્રગટ કરવાની ઉપાસના એ કાંઈ એક-બે દિવસ, મહિના કે વર્ષમાં સિદ્ધ થતી નથી. પૂર્વજન્મની પ્રબળ આરાધનાના ઉદયે કોઈ ભવ્યાત્મા અલ્પ સમયમાં કાર્ય સિદ્ધ કરી શકે; પરંતુ સામાન્ય સાધકે તો નિરંતર અભ્યાસની જિજ્ઞાસા રાખવી અને સત્સંગાદિના પ્રસંગોમાં રહેવું. આત્મા અગોચર છે અર્થાત્ અતિસૂક્ષ્મ તત્ત્વ છે, તેથી તેની અનુભવદશા પણ સૂક્ષ્મ છે. દેહમાં ચક્ષુ નાજુક ઈદ્રિય છે, એટલે વધુ સંવેદનશીલ છે. એક સૂક્ષ્મ કણ તેમાં જીરવી શકાતું નથી. આત્માની શુદ્ધ અવસ્થા તો તેથી પણ અતિસૂક્ષ્મ છે, અને નિજસંવેદન પણ અતિ સૂક્ષ્મ છે. તેમાં એક રજકણ જેટલો દોષ રહી શકતો નથી. અશુદ્ધતાનો દોષ હોય તે સમયે તે સ્વરૂપનું દર્શન પ્રગટપણે અનુભવમાં આવતું નથી. જેટલી શુદ્ધતા તેટલી મુક્તિ. સંપૂર્ણ શુદ્ધતા સંપૂર્ણ મુક્તિ. તેને નિર્વાણ કહો, સ્વરૂપજ્ઞાન કહો કે પરમાત્મપદ કહો. જ્ઞાનીઓ તેને જિનપદ નિજપદની એકતા કહે છે. આત્મા જ પરમાત્મારૂપે પ્રગટ થઈ જાય છે. આવું પરમશુદ્ધ પદ કેવળ કેવળજ્ઞાનીના, સર્વાના અને જીવન-મુક્તાત્માના જ્ઞાનનો અને અનુભવનો વિષય છે. તે પદને, તે પદપ્રાપ્ત સર્વ પરમાત્માને પરમપ્રેમ નમસ્કાર હો. માટે સજ્જનો! અશુભધ્યાનથી છૂટી ધર્મધ્યાનનો મહિમા જાણી તેનું સેવન કરતાં કરતાં અને શુકલધ્યાનની પરમદશાનું શ્રદ્ધાન કરીને ૫O
SR No.005926
Book TitleDhyan Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDeepakbhai & Dharmiben Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy