SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ પરિભ્રમણ વધારે છે. જ્ઞાનીઓએ પ્રકાશ્યું છે કે : “જ્ઞાની શ્વાસોચ્છવાસમાં રે ર્મનો છેહ પૂર્વ કોડી વર્ષો લગે અજ્ઞાની ન કરે તેહ.' સાધકની જિજ્ઞાસા અને સમર્પણ : અશુભધ્યાનના દુષ્પરિણામને જાણીને સાધકને ધ્યાનમાર્ગની જિજ્ઞાાસા થાય છે, ત્યારે તે વિચારે છે કે મારે કેમ ધ્યાન કરવું અને કોનું ધ્યાન કરવું ? નિશ્ચયથી તો ‘સ્વાત્મા’ જ ધ્યાન કરવા યોગ્ય છે. એટલે સ્વરૂપનું ધ્યાન કરવા તે પ્રેરાય તો પણ સ્વરૂપનું જ્ઞાન કે અનુભવ ન હોવાથી આરંભમાં તે આસન લગાવી આંખ બંધ કરીને બેસે ત્યારે તેને એકાએક સ્વરૂપ દર્શન થતું નથી. વર્તમાન અવસ્થા અશુદ્ધ હોવાથી, ચિત્તપ્રદેશો પર અંક્તિ થયેલા સંસ્કારોમાંથી અનેક વિકલ્પો અને વિચારો ઊઠે છે; તેથી સ્વરૂપધ્યાન તેને અનુભવમાં આવતું નથી. જો જિજ્ઞાસાના બળે તે ધર્મધ્યાનના અવલંબનને સેવે તો પ્રયત્ન વડે ભૂમિકા બંધાય છે. ગૃહસ્થ સાધકે પરમાત્માના શુદ્ધ સ્વરૂપનું અવલંબન લેતા પહેલાં ચિત્તની સ્થિરતાનો, આત્મચિંતનનો અભ્યાસ કરવો જરૂરી છે. ધર્મધ્યાનમાં ચિંતન, ભાવના આદિ વિવિધ પ્રકારો દર્શાવ્યા છે. તેમાં ભૂમિકા અનુસાર પ્રવેશ કરવો, જેથી ચિત્તની સ્થિરતા કેળવાતી જાય છે. ગૃહસ્થને મહદ્અંશે સાલંબન ધ્યાન હોય છે. પરમાત્માનું ધ્યાન કરવા પ્રભુ પ્રત્યે શ્રદ્ધા, પ્રીતિ અને ભક્તિ જોડવાં જરૂરી છે, દેહરોગ મટાડવા વૈદ્યમાં શ્રદ્ધા રાખવી પડે છે, ઔષધનો ઉપયોગ જાણવો પડે છે, પથ્ય પાળવું પડે છે, તેમ ભવરોગથી મુક્ત થવા પરમાત્માના પ્રત્યે શ્રદ્ધા, તેમના સ્વરૂપનું જ્ઞાન અને ભવરોગ દૂર કરવા ત્યાગ વૈરાગ્યાદિનું પથ્ય પાળવું જરૂરી છે. પરમાત્મા પ્રત્યે આશ્રય, શ્રદ્ધા, નિશ્ચય કે ભક્તિ એ કોઈ પરાધીનતા નથી. સદ્ગુરુની નિશ્રા અને સમર્પણ તે પરાધીનતા નથી; પરંતુ સાધક માટે દોષમુક્તિનો, ગુણવૃદ્ધિનો એ ઉપાય છે. સ્વ-આત્મા નિશ્ચયથી પોતાનો ગુરુ છે, છતાં તેની અશુદ્ધિ ટાળવા સદ્ગુરુની નિશ્રાએ અવલંબન છે. ૪૭
SR No.005926
Book TitleDhyan Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDeepakbhai & Dharmiben Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy