________________
તત્ત્વ માત્રમાં આત્મતત્ત્વ અતિ સૂક્ષ્મ છે. આત્માના બહિર્લક્ષી ઉપયોગમાં સૂક્ષ્મતા નથી, કારણ કે તે સ્થૂલ સાથે સંલગ્ન છે. અંતરયાત્રામાં ઉપયોગ સૂક્ષ્મ બને છે. અર્થાત્ સૂક્ષ્મ ઉપયોગ વડે અંતરયાત્રા થાય છે, તેથી સ્વ-પરનું ભેદજ્ઞાન સંભવિત બને છે. અહીંથી ધ્યાનમાર્ગનો યથાર્થ પ્રારંભ થાય છે. ચેતના પરનું કર્મપ્રકૃતિનું આવરણ દૂર થતું જાય છે. જેમ જેમ ઉપયોગની નિર્મળતા થતી જાય છે તેમ તેમ જોવા-જાણવાનું કાર્ય સજગતાપૂર્વક કે સાક્ષીભાવે થાય છે. નિર્મળ ચેતના આકાશતત્ત્વ જેવી છે. જયારે વાદળામાંથી મૂશળધાર વર્ષા થાય છે ત્યારે એવું જણાય છે કે આકાશ જાણે વર્ષોથી છવાઈ ગયું છે, પણ જયારે વર્ષા બંધ થાય છે ત્યારે જણાય છે કે આકાશનો રજ માત્ર ખૂણો ભિજાયો નથી; તેમ મનની મલિન વાસનાઓ દૂર થતાં, અહંતા-મમતાયુકત આવેશોથી મન મુક્ત થઈ શાંત થાય છે ત્યારે ચેતનાનું શુભ અસ્તિત્વ જેવું છે તેવું વિલસી રહે છે. તે આત્માનું નિજી સ્વરૂપ છે. સ્થૂલ મનના આવેગો શમે છે, ત્યાર પછી સૂક્ષ્મ મનમાં સંસ્કારોને તપાદિ દ્વારા નષ્ટ કરવા પડે છે; નહિ તો એ સંસ્કારો અનાજની સાથે ઘાસ ઊગી નીકળે છે તેમ અજાગૃતદશામાં નિમિત્ત મળતાં પ્રગટ થઈ સાધકને સાધનામાં અલ્પાધિક અંતરાય ઊભો કરે છે. આ માર્ગ અંતિમ દશાની પ્રાપ્તિ સુધી સજગતાનો અને પુરુષાર્થનો છે. કર્મબંધનું મુખ્ય કારણ મિથ્યાભાવ છે, વિપર્યાયબુદ્ધિ છે. રાગાદિ તેની આડપેદાશ છે. તે મિથ્યાત્વભાવ આત્મજ્ઞાન વડે દૂર થઈ જાય છે.
આત્મજ્ઞાન વડે સ્વ-પરનો ભેદ દેઢ થાય છે. જ્ઞાનીને પૂર્વ પ્રારબ્ધયોગે સંસારનો ઉદય હોય ત્યારે રાગાદિના મંદભાવો હોય છે. પરંતુ સજગતાને કારણે રાગાદિ ભાવો વડે જ્ઞાની લેપાતા નથી, તે જ્ઞાનાધારાની વિશેષતા છે. - વૃત્તિઓનું વિષયાકાર થવું, ભાવ-પરિણામનું બહિર્મુખ થવું કે યોગ-ઉપયોગનું અસ્થિર થવું, તે કર્મ છે. વૃત્તિઓનું આત્માકાર થવું તે અંતર્મુખતા છે. ઉપયોગનું સ્થિર થવું તે ધર્મ છે. એ ધર્મરૂપ ધ્યાન તે સમીપ મુક્તિગામી આત્માને પ્રાપ્ત થાય છે. નિર્મળજ્ઞાનપ્રાપ્ત આત્મા પરિભ્રમણને સમાપ્ત થવાનું સામર્થ્ય ધરાવે છે. કર્મવશ આત્મા અનંત
૪૬