________________
સુધી કર્મની પ્રવૃત્તિરૂપ સંસાર ટકી રહે છે.
પર્યાય એ જૈનદર્શનનો પારિભાષિક શબ્દપ્રોગ છે. તેને પરીણામવૃત્તિ કહી શકાય. નવી નવી અવસ્થાઓનું ઊપજવું, જેમકે સોનામાંથી હાર, બંગડી વગે૨ે થાય છે તેમ મૂળ વસ્તુ રહે અને અવસ્થા બદલાય છે તે પર્યાય છે.
ઉપયોગ-પર્યાય શું છે ?
ઉપયોગ લક્ષણો જીવ :
ઉપયોગ આત્માનું લક્ષણ :
કર્મપ્રવૃત્તિનો કે બંધનનો આધાર ચેતનાની ક્ષણે ક્ષણે પલટાતી અશુદ્ધ પર્યાય (વૃત્તિ) છે. (તેને ઉપયોગ પણ કહેવાય છે) ઉપયોગ પદાર્થને ઈંદ્રિયો દ્વારા જુએ છે કે જાણે છે, મનના વિકારો, સંસ્કારો પદાર્થ સાથે તાદાત્મ્ય ઉપજાવી લે છે. એટલે ચેતનાના પોતાના સ્વરૂપ ઉપર એક અંધકારમય વાદળું પથરાઈ જાય છે. આ ઉપયોગ જો વિકારો કે રાગાદિ ભાવોમાં ન ભળે તો કર્મો મંદતા પામે છે. શાસ્ત્રોક્ત પદ્ધતિએ વિચારીએ તો કર્મના ઉદય વખતે જો આત્મા ઉપયોગ અને કર્મોદયની સૂક્ષ્મ સંધિ વચ્ચે પ્રજ્ઞાવંત રહે તો કર્મપ્રકૃતિઓ મંદતા પામે છે. જાગૃત ચેતના અનુબંધને શિથિલ કરે છે, રોકે છે. તે પછી પરંપરાગત કર્મગ્રંથિઓ શિથિલ થતી જાય છે. અંતે ક્ષય પામે છે.
જીવ માત્રને કોઈ પણ યોનિમાંથી જન્માંતર સમયે સંસ્કારરૂપી તેજસ અને કાર્યણશરીર સાથે રહે છે, અને તે તે સંસ્કારો તેના ક્રમ પ્રમાણે વર્તમાનમાં ઉદયમાં આવે છે; તેથી શુભાશુભ સંયોગો પ્રાપ્ત થાય છે. એવા ક્રમને તોડવા જ ધ્યાન છે. ધ્યાન એ એવી નિર્મળ અને સ્થિર દશા છે કે જેના દ્વારા કર્મધારા તૂટે છે અને જ્ઞાનધારાનો પ્રવાહ ઊમટે છે.
ધ્યાનનો યથાર્થ પ્રારંભ આત્માના સમત્વથી અને સાક્ષીત્વથી થાય છે. સમત્વની પૂર્ણતા થયે જે અવિકારી સહજ દશા છે તે વીતરાગતા છે. આવા સમત્વનો પ્રારંભ પ્રજ્ઞાથી થાય છે. સાક્ષીત્વ એ નિર્લેપતા છે. ઉપયોગ પદાર્થને જાણે છે પણ તન્મય થતો નથી તે સાક્ષીત્વ છે, તે નિર્વિકલ્પતા છે.
૪૫