________________
અને કર્મફળના ભોક્તાપણાથી સંપૂર્ણ મુક્તિ.
મોક્ષનો ઉપાય,-સમ્યગજ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ઉપાયો છે.
આમ મોક્ષ અર્થાત્ શુદ્ધાત્મા અને અશુદ્ધાત્માની આડે આવે છે કર્મની પરંપરા. કર્મસંસ્કારયુક્ત આત્મા સંસારી છે અને તેનાથી મુક્ત આત્મા મોક્ષસ્વરૂપ છે. અશુદ્ધાત્માને શુદ્ધ થવા ધર્મધ્યાન અવલંબન છે. શુકલધ્યાન તે મોક્ષરૂપ અવસ્થા છે.
મૂળ દ્રવ્યે શુદ્ધ એવો આત્મા અશુદ્ધ કેમ થયો ? કયારે થયો ? તેવો પ્રશ્ન કદાચ ઊઠે તો પ્રથમ વિચારવું કે આજે જીવની જે દશા છે તે કેવી છે ? શુદ્ધ છે કે અશુદ્ધ છે ? જીવને રાગાદિનાં પરિણામ થાય છે તે અશુદ્ધ દશા છે, તે સંસ્કારો પૂર્વના છે; એમ વિચારતાં સમજાશે કે આત્મા અનાદિકાળથી અશુદ્ધપણે જગતમાં પરિભ્રમણ કરે છે. શાસ્ત્રના પ્રમાણથી તે વાત વધુ ઊંડાણથી વિચારી લેવી જરૂરી છે.
આ જન્મના દાદાના દાદા કે તેમના પિતાનું નામ ભાગ્યે જ સ્મૃતિમાં છે, તેમ ભૂતકાળની સ્મૃતિ આજે નથી. જો કે ચિત્તની નિર્મળતા હોય અને આત્માને સ્વરૂપ વિષે ઊહાપોહ થાય તો જાતિસ્મરણજ્ઞાન વડે અમુક જન્મનું જ્ઞાન થવા સંભવ છે. છતાં એક વાત સ્પષ્ટ છે કે ભૂતકાળના સંસ્કાર પ્રાણીમાત્રના મનમાં રહેલા છે; તેને વશ થઈ જવાથી વર્તમાનની પ્રવૃત્તિ બન્યા કરે છે. વળી કોઈ દૃષ્ટિએ વિચારીએ તો દોષમય પ્રવૃત્તિ તે પૂર્વકર્મ અને તેનું ફળ છે.
બીજી રીતે જોઈએ તો પ્રકૃતિજન્ય સંસ્કાર એટલે કર્મ, તે કર્મમાત્ર બંધન છે. કર્મપ્રકૃતિઓ સૂક્ષ્મપણે ક્ષણે ક્ષણે ઉદયમાં આવે છે. પરિણામ પામે ફળ આપી પૂર્વકર્મ ખરે છે. વર્તમાન અશુદ્ધ પરિણામ વડે નવો અનુબંધ થયા કરે છે. શ્વાસ-પ્રશ્વાસની જેમ કર્મ આવે છે, જાય છે.
કષાયજન્ય અને રાગાદિરૂપ ભાવકર્મ, આઠ પ્રકૃતિરૂપ દ્રવ્યકર્મ અને દેહાદિ સ્થૂલ પદાર્થના સંયોગરૂપ નો-કર્મ (કર્મ જેવા) આ બધાં ચેતનના સંયોગમાં આવે છે. અને ચેતન તેમાં પોતાની વૃત્તિ તન્મય કરીને પોતાનું સ્વરૂપ ભૂલી જાય છે.
કર્મસંસ્કારોથી પ્રેરિત થયેલું મન તેના વિકારો વડે પ્રવૃત્તિ કરવાનું સતત યોજ્યા કરે છે, એટલે આ વિકારો મૂળમાંથી નાશ ન પામે ત્યાં
૪૪