________________
છે, પણ તે તે રૂપે પરિણામ થઈ જતાં નથી. આવી ભેદજ્ઞાનની ધારાને કારણે વૈરાગ્ય-દશા વધતી જાય છે. અને ધ્યાનરૂપ અગ્નિ વડે ઉદયનાં અને સત્તાનાં કર્મોને તે નષ્ટ કરે છે. આમ સંસારથી મુક્ત થવા માટે ધ્યાન એ શ્રેષ્ઠ ઉપાય છે.
જ્ઞાની જે કંઈ બને તેને જાણે છે, જુએ છે, અને સમભાવે વર્તે છે. બાહ્ય પદાર્થો પ્રત્યે તન્મયતા ન થાય તેવી ચિત્તની ધારા સમભાવે ટકે છે. ધર્મધ્યાનના પ્રકારોના સેવન વડે સાધક એ ભૂમિકાએ પહોંચે છે. માટે એ પ્રકારોનું શુદ્ધભાવ વડે અવલંબન લેવું. સૃષ્ટિની રચના અને કર્મસિદ્ધાંત :
એક અપેક્ષાએ એમ કહી શકાય કે આરૌદ્રધ્યાની-અશુભધ્યાની આત્મા બહિરાત્મા છે. ધર્મધ્યાન-શુભધ્યાની આત્મા અંતરાત્મા છે. શુકલધ્યાની-શુદ્ધધ્યાની આત્મા પરમાત્મા છે, આર્તિ-રૌદ્રધ્યાન નિરંતર કર્મબંધનું કારણ છે. ધર્મધ્યાન અને શુકલધ્યાન મુક્તિનાં કારણ મનાય છે.
કર્મબંધનથી છૂટવા, મુક્તિરૂપ શુકલધ્યાન સુધી પહોંચવા ધર્મધ્યાન એ વિશ્રામસ્થાન જેવું છે. ત્યાંથી ક્રમે કરીને સાધક આગળ વધે છે.
સૃષ્ટિમંડળમાં રહેલા પ્રાણીમાત્રના વિકાસની ભૂમિકાએ વિચારીએ તો આત્મા અને કર્મસિદ્ધાંત, તેનાં પરિણામો એ અગત્યના મુદ્દાઓ છે. આ તત્ત્વોને છોડીને જગતના કોઈ પણ તત્ત્વનું, પ્રાણીનું કે પ્રકૃતિનું અસ્તિત્વ વિચારવું કે સંશોધન કરવું શકય નથી.
જૈનાગમસૂત્રોમાં છ સિદ્ધાંત વડે આત્મા, કર્મ અને મુક્તિના તત્ત્વોનું નિરૂપણ કર્યું છે :
આત્મા છે,-શુદ્ધતત્ત્વ-અસ્તિત્વ. આત્મા નિત્ય છે,-શાશ્વત તત્ત્વ.
આત્મા કર્મનો કર્યા છે,-વિભાવના કર્તાપણાના સ્વીકારથી. નિશ્ચયથી નિજસ્વરૂપનો કર્તા સ્વીકાર્યો છે.
આત્મા ભોક્તા છે, નિજ કર્મનો કર્તા હોવાથી ભોક્તા છે. નિશ્ચયથી નિજસ્વરૂપનો ભોક્તા છે.
તેનો મોક્ષ છે, મુક્તાત્મા-શુદ્ધ આત્મસ્વરૂપ. વૈભાવિક કર્તાપણાથી
४3