________________
નથી પણ આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. આ ધ્યાનની વિશેષતાઓ પૂર્તિમાં દર્શાવવામાં આવી છે. દરેક ગ્રંથકારનાં નિરૂપણમાં સમાનતા છે. તેથી એક જ ગ્રંથના આધારે તેની રજુઆત કરી છે.
ધ્યાનમાર્ગમાં ગૃહત્યાગ કે એકાંતની કોઈ જરૂર નથી તેમ માનીને સાધક જીવનમાં કંઈ પરિવર્તન ન કરે તો આ માર્ગે સફળતા સંભવ નથી. સંસારમાં વ્યસ્ત રહેવું અને ધ્યાનમાર્ગનું અવલંબન લેવું દુષ્કર છે, તેમાં ઘણો દઢ પુરુષાર્થ અને જાગૃતિ જોઈએ છે. ઊતરતા આ કાળમાં નબળા મનવાળા ગૃહસ્થ સાધક માટે નિવૃત્તિની, આ માર્ગ માટે અત્યંત આવશ્યકતા છે. પોતાના નિવાસમાં નિત્ય પ્રત્યે કે પર્વના દિવસોમાં એકાંતનું સેવન કરે અને ધર્મધ્યાનના પ્રકારોને ભૂમિકા પ્રમાણે સેવે તો પાત્રતા વધવાની શક્યતા છે. પાત્રતા થવાથી તેને યોગ્ય સાધનો અને માર્ગદર્શક મળી રહે છે. ધર્મધ્યાન આરાધનનું સાફલ્ય :
ધર્મધ્યાનની આરાધના : સાધક આત્માને પૂર્વઆરાધનનાં સંસ્કારયોને જીવનમાં પ્રશ્ન થાય છે કે આ જગતમાં માનવ-જન્મનું મુખ્ય પ્રયોજન શું છે? હું કોણ છું? મારું સ્વરૂપ શું છે? આવો આત્મવિચાર જાગે છે તે આત્મા સસાધન મેળવવાનો પ્રયત્ન આદરે છે. સ્વદોષોને જાણીને પાપથી દૂર થવા કોશિશ કરે છે. સત્સંગાદિ કારણોથી જીવનદષ્ટિ બદલાઈ જાય છે. જે દૃષ્ટિ જગતના પદાર્થોમાં સુખ શોધતી હતી તે દૃષ્ટિ હવે અંતર્મુખ થતી જાય છે. અને તેને પોષણ મળે કે તે વૃદ્ધિ પામે તેવાં નિમિત્તોની શોધમાં સાધક લાગી જાય છે. આ ધર્મધ્યાનનો પ્રારંભ છે.
ભગવાન શ્રી મહાવીરે ઉપદેશ્ય છે કે :
જે જીવને પરમાત્મા પ્રત્યે, ધર્મ પ્રત્યે અનુરાગ થાય છે. તે જીવને જગતના પદાર્થો પ્રત્યે દાસીન્યતા આવે છે.”
ધર્મધ્યાનના સાધકને બાહ્ય પદાર્થમાં રુચિ થતી નથી, પ્રીતિઅપ્રીતિ થતી નથી. આત્મજ્ઞાન વડે સ્વ-પરનો ભેદ દઢ થાય છે. એવા જ્ઞાનીને પૂર્વપ્રારબ્ધ યોગે સંસારનો ઉદય હોય તો રાગાદિ મંદપણે હોય ખરા, પરંતુ તે રાગને, તેના ઉદય, સત્તા વગેરેને જાણે
૪૨