________________
વિચારો અને વિકલ્પોનું શમી જવું તે ધ્યાન છે. ધ્યાનનો અલ્પ અનુભવ પણ સંવેદનશીલ હોય છે. દીર્ઘકાલીન અભ્યાસ વડે ક્ષણનો નીરવ અનુભવ જીવનને અજવાળે છે અને સમગ્ર જીવનમાં પરિવર્તન લાવે છે. સ્વયં પોતે આશ્ચર્ય પામે તેવું તે ક્ષણનું સામર્થ્ય છે. મનથી ઉપર ઊઠવાનો આ ઉપાય છે. પૂર્ણ શુદ્ધતત્ત્વનું દેહમાં પ્રગટવું, તે દેહ છતાં નિર્વાણ છે. નિર્વાણપદના સ્વામી-સંતો સિદ્ધાત્માના પ્રતિનિધિ છે. તેઓની નિશ્રામાં, તેમની જ્ઞાનદશાની શ્રદ્ધામાં આ માર્ગ સરળપણે સાધ્ય છે.
ધ્યાન એ સ્વયં અનુભવની દશા હોવાથી તેની કોઈ વ્યાખ્યા, અધ્યયન, ચિંતન કે સમીક્ષા કરવી તે ન્યૂન જ છે. તેથી એ દશાની સહજ ઉપલબ્ધિને પાત્ર થવા પ્રથમની ભૂમિકા માટે અભ્યાસ અને પુરુષાર્થ કરી દેવગુરુની કૃપા વડે આત્માર્થનો શુદ્ધ સંસ્કાર દઢ કરવો. તે સંસ્કારને વર્ધમાન કરવા ચિત્તની એકાગ્રતા, વિકલ્પોનું શમન, મન અને ઈદ્રિયોનો સંયમ વગેરે ધ્યાનમાર્ગની યાત્રામાં પ્રેરણાદાયી છે. તેને યોગ્ય ભૂમિકા માટે અધ્યયન-સ્વાધ્યાય જરૂરી છે.
સહજ શુદ્ધ ધ્યાનદશા માટે શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત પત્રાંક ૭૩પમાં પ્રકાશે છે કે, “વિષમભાવના બળવાન નિમિત્તો પ્રાપ્ત થયાં છતાં જે જ્ઞાની પુરુષ અવિષમ ઉપયોગે વર્યા છે, વર્તે છે, અને ભવિષ્ય કાળે વર્તશે તે સર્વને વારંવાર નમસ્કાર. | ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિયમ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ લબ્ધિ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ઐશ્ચર્ય, એ જેમાં સહેજે સમાય છે, એવા નિરપેક્ષ અવિષમ ઉપયોગને નમસ્કાર. એ જ ધ્યાન.”
“ધ્યાનથી ઉત્પન્ન થતી નિશ્ચલતામાં જે અપૂર્વ રસવિસ્તાર પામે છે તેને તો કોઈ પ્રશસ્ત મનવાળા જ્ઞાનમુનિ જ પામી શકે. તેવો મીઠો મધુર રસ નથી તો દ્રાક્ષમાં, નથી સાકરમાં, નથી સુધામાં, કે નથી લલનાના ચૂંબનમાં. આ રીતે ફળમાં રહેલી મહત્તા મનથી જાણીને તેમાં જેને રતિ થાય છે તે પક્વ ધ્યાનથી ઉત્પન્ન થતાં ફળમાં રહેલી મહત્તા મનથી જાણીને તેમાં જેને રતિ થાય છે તે પ્રૌઢ તેજસ્વી મહાત્માને યશલક્ષ્મી શીધ્ર પ્રાપ્ત થાય છે.”
(શ્રી યશોવિજ્યજીકૃત અધ્યાત્મસારમાંથી)
૪૦