________________
સાધન વડે કાઢી શકાય છે, ત્યાં કાતર કાર્યકારી થતી નથી, તેમ દોષોને કાઢવા ધર્મભાવ, જાગૃતિ, સમતા, પ્રેમ અને પરિવર્તન જેવાં સાધનો ઉપયોગી થાય છે. કેવળ બાહ્ય ક્રિયા વડે દોષો દૂર થઈ જતા નથી.
જ્ઞાની પુરુષોનું કથન છે કે, પ્રત્યેક પળે અજ્ઞાન અને અજાગૃતિને કારણે કર્મો પ્રવેશ કરી રહ્યાં છે. કર્મ એ જડનું રૂપ છે. વળી બીજી બાજુ દેહવ્યાપી આત્મપ્રદેશે ચેતનસત્તા પ્રગટતી હોય છે. અસવૃત્તિઓના જોરે બંનેનું સંમિશ્રણ થવા પામ્યું છે. એ સંમિશ્રણનું નિરીક્ષણ ચેતનના વહેતા નિર્દોષ સથી થાય તો બંનેનું યથાતથ્ય
સ્વરૂપ સમજમાં આવે છે. તે સમજને બોધ કહો, સાક્ષીત્વ કહો કે યથાર્થ પરિવર્તન કહો, તે સ્થાપિત થતા જાય છે. તે પછી વિચાર અને આચારની ગુણવત્તા સહેજે પરિવર્તન પામે છે; આત્મા સંવેદનશીલતા અનુભવે છે, જેથી જીવનનો સમગ્ર વ્યવહાર સમ્યકરૂપે પરિણમે છે. તે પછી ધ્યાન શું છે તે સમજમાં આવે છે. પરિણામધારાનું-ઉપયોગનુંમનનું-આત્મા પ્રત્યે વળવું તે ધ્યાનમાર્ગનો પ્રવેશ છે. દષ્ટિપરિવર્તનનોઅંતર્મુખતાનો એ સુભગ સમય છે. ધ્યાનની અદ્ભુત દશા : “શુદ્ધ-ઉપયોગ અને સમતાધારી; જ્ઞાનધ્યાન મનોહારી.
કર્મíÆ દૂર નિવારી; “જીવ' વરે શિવનારી આપ સ્વભાવમેં રે અવધુ સદા મગનમેં રહના.”
- શ્રી જીવવિજયજી કૃત સજઝાયમાંથી. શુદ્ધ ઉપયોગની પળોમાં મુનિજનોને ધ્યાનની ચરમસીમાએ સ્વરૂપદર્શન વિશેષપણે થાય છે અને અનુભવાય છે. ત્યાર પછી પરમ સમાધિદશા વર્તે છે. તે પરમસમાધિરૂપ મહાત્માઓને પ્રણમી, તે શુભભાવને ધારણ કરી યથાશક્તિ અને નિર્મળતિપૂર્વક આ માર્ગે આગળ વધવા પુરુષાર્થ કરવામાં માનવજીવનની સાર્થકતા છે. દેહમંદિરમાં વિરાજમાન સ્વસ્વરૂપમય પરમાત્માને પ્રગટ થવા દેવો અને તેનું દર્શન પામવું તેમાં જ જીવનની ખરી મહત્તા અને સફળતા છે.
આવિષમકાળમાં અને સંઘર્ષાત્મક વાતાવરણમાં ધ્યાનાભિમુખતા શાંતિદાતા છે. કેવળ સંતાપ કે સંઘર્ષોથી બચવા ધ્યાનક્રિયામાં જોડાવું તે સ્થૂલ અભ્યાસ છે. વાસ્તવિક ધ્યાનમાર્ગની ઉપાસના વગર શાંતિ પ્રાપ્ત થતી નથી. દૂધના ઊભરાની જેમ શમી જાય તે સાચી ઉપાસના નથી.
૩૯